SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્ય ભક્તિસૂત્ર ફલ ઘણું વધારે બતાવ્યું છે, પણ તેને અર્થ એ નથી કે દ્રવ્યવદન જરૂરનું નથી. બે વંદનની સરખામણીમાં ભાવ વંદન ચડે, એમ કહેવાને જ તેમને આશય છે. સામાન્ય લકો તો પહેલા દ્રવ્યવંદન જ કરે છે અને ઘછી ભાવવંદન સુધી પહોંચે છે, એટલે દ્રવ્યવદનને ઓછું ફલદાયી ગણુને તેને ત્યાગ કરવામાં આવે તે સુવિહિત વ્યવહારને લેપ થાય અને વંદનને લગતી પ્રવૃત્તિ લગભગ બંધ પડી જાય, એટલે દ્રવ્યવંદન અને ભાવવંદન બંને જરૂરી છે. સુજ્ઞજનોએ દ્રવ્યવંદનમાંથી ભાવનંદન પ્રત્યે આવવાને પ્રયત્ન કર જોઈએ, જેથી વંદનનું યથાર્થ ફલ પામી શકાય. - જે વંદનની ક્રિયાનો વિકાસ કરી તેને પરાકાષ્ઠાએ પહોંચાડવામાં આવે તે તેનાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આ સંબંધમાં સિદ્ધાણું-બુક્રાણું-સૂત્રની નિમ્ન ગાથાનું નિરીક્ષણ ઉપયોગી થઈ પડશેઃ इको वि नमुक्कारो, जिणवर-वसहस्स वद्धमाणस्स । संसारसागराओ, तारेइ नरं व नारिं वा ॥ જિનવરમાં ઉત્તમ એવા શ્રી મહાવીર સ્વામીને કરાયેલે એક જ નમસ્કાર પુરુષ કે સ્ત્રીને સંસારસાગરમાંથી તારે છે.” આમાં ડું રહસ્ય છે. તે નહિ જાણનાર જિજ્ઞાસુજન વિચારમાં પડે છે કે “શું ભગવાન મહાવીરને એક
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy