SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ લાગસ મહાસૂત્ર ૨૯૪ વિના કોઈ પણ પ્રકારની સાધના યથાર્થ સ્વરૂપે થઈ શકતી નથી, તેથી ધાર્મિક–આધ્યાત્મિક વિકાસને માગે આગળ વધવા માટે પહેલી જરૂર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની છે. " કોઈ એમ કહેતુ હાય કે અમને શરીરની પડી નથી, અમારા શરીરનું ગમે તે થાય, પણ અમે ધા ધમ કરવાના.' તે એ વચનાને માલીશ સમજવાં. જેમાં કઈ તથ્ય ન હેાય, એ વચનેનુ મૂલ્ય શું ? આવાં વચના ઉચ્ચારનારા એક નાની સરખી માંદગી આવે છે, ત્યાં ગભરાઈ જાય છે અને ડોકટર-વૈદ્ય હકીમને મેલાવવા માટે દોડાદોડી કરી મૂકે છે, પછી ધાર્યાં ધમ કરવાની વાત તે રહે જ ક્યાં ? આથી સુજ્ઞજનોએ શરીર પ્રત્યે બેદરકારી અતાવવા કરતાં તેનું સ્વાસ્થ્ય કેમ જળવાઈ રહે ? તે જોવુ જોઇએ અને તે માટે કેટલાક નિયમાનુ અનુકરણ કરવુ જોઈ એ. આ બાબતમાં અમારો અનુભવ તો એમ કહે છે કે જૈન ધર્મે મનુષ્યની રહેણી-કરણી માટે જે નિયમે ખતાવ્યા છે, તે ઘણા સુંદર છે અને જો તેનું યથાર્થ પાલન કરવામાં આવે તે બિમાર પડવાનેા પ્રસંગ આવે નહિ. આમ છતાં કોઈ અગમ્ય કારણે બિમારી આવી જ પડે તે એ થાડા જ ઉપચારે દૂર થઈ જાય અને પુનઃ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય. ઉક્ત નિયમેામાં રાત્રિભોજનના ત્યાગ, ઊણાદરી વ્રત, દ્વિવસે યથાશકિત તપશ્ચર્યાં અને સપ્ત વ્યસનના ત્યાગ ઘણું મહત્ત્વ ધરાવે છે.
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy