SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ લેગસ મહાસૂત્ર ૨૬૬ • ઉચિત છે ?, અમે કહ્યું : · મિત્ર ! પ્રથમ તે તમે તમારા પ્રશ્નની ભાષા સુધારો. અમે પત્થરના ટુકડામાં નહિ, પણ ચેાગ્ય પત્થરમાંથી વિધિસર તૈયાર થયેલી અને પ્રતિષ્ઠા પામેલી જનસ્મૃતિમાં શ્રી જિનેશ્વરદેવની કલ્પના-ભાવન કરીએ છીએ, જેમાં અનુચિત કશું નથી. મહાત્મા ગાંધી કે જવાહરલાલ નહેરુનું ખાવટુ જોતાં તમને મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુને વિચાર આવે છે કે પત્થરના ટુકડાને ? છાતીએ હાથ મૂકીને સાચો જવાબ આપો. જિનમૂર્તિનાં દર્શન-પૂજન આદિથી અમારા અંતરમાં શુભ ભાવેની વૃદ્ધિ થાય છે અને અશુભ ભાવા હઠી જાય છે, એ જ એની મેાટી સફ્ળતા છે.’ પેલા સજ્જને વિશેષ પ્રશ્ન કર્યાં : ‘ તમે જિનમૂર્તિની ચંદન-કેશર-પુષ્પ વગેરેથી પૂજા કરે છે અને તેમની આગળ વિવિધ પ્રકારનાં સ્તવના ગાઓ છે કે પ્રાથના કરો ', , તે એ મૂર્તિ પ્રસન્ન થઈ ને તમને કંઈ આપે છે ખરી ?” અમે કહ્યુ' : ' અમે જનમૂતિ દ્વારા જિનભગવંતની ચંદન -કેશર-પુષ્પાદિ વડે જે પૂજા કરીએ છીએ અને રતવને દ્વારા તેમના જે ગુણાનુવાદ કરીએ છીએ, તે તેમના પ્રત્યે અમારા પૂજ્યભાવ વ્યક્ત કરવા કરીએ છીએ, નહિ કે તેમને પ્રસન્ન કરીને તેમની પાસેથી કોઈ વસ્તુ મેળવવા માટે. આમ છતાં અસાધારણ સાગેામાં કોઈ પ્રશ્ન પરત્વે પ્રાથના કરવાની જરૂર પડે તેા તેની આગળ પ્રાર્થના કરીએ છીએ અને તેના અધિષ્ઠાયક દેવા અમારી એ પ્રાથનાને
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy