SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ' લેગસ્ટ મહાસૂત્ર છે કાયા વડે વંદાયેલા અને મહિને અર્થ છે મન વડે પૂજાયેલા. તાત્પર્ય કે આ ત્રણ પદો વડે અહીં જિનભક્તિના વાચિક, કાચિક અને માનસિક એવા ત્રણ પ્રકારે નિર્દેશાયેલા છે, જે વિસ્તારથી સમજવા ગ્ય છે. દરેક મનુષ્ય પાસે કાયા, વાણું (વચન) અને મન એ ત્રણ સાધને અવશ્ય હોય છે. જે તે આ ત્રણ સાધનને ઉપગ જિનભક્તિમાં કરે, પ્રભુભક્તિમાં કરે, તે તેનું જીવન સાર્થક બને છે, પણ તેને આ ઉપગ કરનારા કેટલાં? મોટા ભાગે તે કાયા, વાણી અને મન એ ત્રણેય સાધનને દુરુપગ જ થાય છે, જેથી કર્મબંધન વધે છે અને તેનું ફલ ભેગવવા માટે રાશીના ચક્કરમાં પીસાવું પડે છે. શ્રી જિનેશ્વરદેવને અથવા તેમની મૂર્તિને અથવા અભિમુખભાવે આપણી સમક્ષ કપેલા તેમના ચિત્રને બે હાથ જોડી મસ્તક નમાવવું કે બે ઢીંચણ, બે હાથ અને મસ્તક એ પાંચે ય અંગે ભેગાં કરી પંચાંગપ્રણિપાત કરે, એ કાયિક ભક્તિ છે. વળી ભગવાનની ભક્તિ નિમિત્તે ચાલીને મંદિરે જવું, ત્યાં કેશર-ચંદન જાતે ઘસવાં અને ભગવાનની મૂર્તિને નવે ય અંગે તિલક કરવાં, પુષ્પ ચડાવવાં એ પણ કાયિક ભક્તિ જ છે. જેમાં મુખ્યત્વે કાયાને ઉપયોગ થાય, તે કાયિક ભક્તિ સમજવી. શ્રી જિનેશ્વરદેવની સારભૂત સુંદર શબ્દો વડે સ્તુતિ કરવી કે તેમનાં સ્તવન–સ્તે બેલવાં કે તેમને પ્રવચનાદિ
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy