SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમી ગાથાને અર્થપ્રકાશ ૨૫૩ મળી જાય, પણ ધર્મની બાબતમાં એવું કદી બનતું નથી. તે માટે તે વ્યવસ્થિત પુરુષાર્થ કરવો જ પડે છે. જ્યારે ધાર્મિક વિકાસ સારા પ્રમાણમાં થાય, ત્યારે મેક્ષ ભણું પ્રયાણ શરુ થાય છે અને તે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે મોક્ષ સમીપ આવે છે, એટલે તે પણ પરમ પુરુષાર્થનું જ પરિણામ છે. અહીં વિદુર--માં વિશેષણ વડે તીર્થકરને ગુણાનુવાદ કે તીર્થકરનું સ્તવન કરવાને મુખ્ય આશય એ છે કે આપણે તેમના પુરુષાર્થ –ગુણનું પ્રણિધાન કરી શકીએ અને એ રીતે આપણા જીવનમાં પુરુષાર્થની પ્રતિષ્ઠા કરી આપણે ધાર્મિક-આધ્યાત્મિક વિકાસ સારી રીતે સાધી શકીએ. વહીન-મરણ આ પદ પહેલી વિભક્તિના બહુવચનમાં આવેલું છે, કારણ કે તે તિસ્થા પદનું વિશેષણ છે. તેનું સંસ્કૃતરૂપ “બક્ષી–ગરા-માર” છે. આ સામાસિક પદ હોવાથી પ્રથમ તેને વિગ્રહ કરવો જોઈએ. તે આ રીતે કરાય છે: “=ા માં ગામો, પ્રક્ષીને નYIN. છે ચેપાં તે પક્ષીણ-ગરામાં જરા અને મરણું, તે જરામરણ, તે વિશેષ પ્રકારે ક્ષીણ થયેલાં છે જેમના, તે પ્રક્ષણજરા-મરણ. તાત્પર્ય કે “પરીખ-ર-માળા” એટલે અજરામર અવસ્થાને પ્રાપ્ત થયેલા. તીર્થકરને પ્રક્ષણ–જરા-મરણ કહેવાને મુખ્ય આશય તેમના અપુનર્ભવ ગુણને ગુણાનુવાદ કે તેમના અપુનર્ભવ ગુણનું સ્તવન કરવાને છે. તેઓ સક્લ કર્મને ક્ષય કરીને
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy