SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ લેગસ્સ મહાત્ર એવામાં કબૂતરમાં રહેલે દેવ પ્રત્યક્ષ થેયે અને કહેવા લાગેઃ “હે રાજન ! ઈશાનેન્દ્રની સભામાં તમારી પ્રશંસા થતી હતી, તે મારાથી સહન થઈ નહિ, એટલે તમારી પરીક્ષા કરવા કબૂતરનું રૂપ ધારણ કર્યું હતું. આ બાજ પણ મારું જ માયાવી સ્વરૂપ છે. આપની પ્રશંસા સાંભળી હતી, તેના કરતાં પણ આપનામાં અધિક સવ છે. મારે અપરાધ માફ કરે. એમ કહી મેઘરથ રાજાનું શરીર પૂર્વવત્ બનાવી દીધું અને તે પિતાના સ્થાને ચાલ્યા ગયે. શ્રી શાંતિનાથ ભગવાન પૂર્વભવમાં પણ કેટલા સત્ત્વશાલી હતા, તે આ પરથી સમજી શકાશે. તેઓ તીર્થકરના ભાવમાં જ ચક્રવતી પણ થયા હતા. આજે શાતિમંત્ર-તંત્રમાં તેમનું નામસ્મરણ અદ્ભુત કામ કરે છે. થુંકુ એટલે પૃથ્વી, તેમાં રહેલ તે કુળ્યું. પ્રભુ ગર્ભમાં આવ્યા પછી તેમની માતાએ મનહર ઉચ્ચ પ્રદેશમાં રહેલા રત્નમય સ્તૂપને જે હતું, તેથી તેમનું નામ કુંથું પડ્યું હતું. તેઓ પણ તીર્થંકરના ભવમાં જ ચક્રવત થયા હતા. –ભગવાન ગર્ભમાં આવ્યા પછી માતાએ રત્નમય, અતિ મનોહર અને ઘણે મોટો એ ચક્રને અરઆરે જે હતું, તેથી તેમનું નામ અર પડ્યું. તેઓ પણ તીર્થકરના ભવમાં જ ચક્રવર્તી બન્યા હતા. મf–પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાને સર્વ ઋતુના શ્રેષ્ઠ સુગંધી પુષ્પમાલાની શયામાં સૂવાને દેહદ થયા હતા, તેથી તેનું નામ મલિ-મલ્લિકુમારી પાડવામાં આવ્યું હતું. તેમને
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy