SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ તી કરવાદ ત્યારે ગ સ્થિતિ પરિપકવ થયે તેમના જન્મ થાય છે, સ શુભ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હોય છે, ત્રણે ય લેાકમાં સત્ર ઉદ્યોત થાય છે અને નારકીના જીવાને પણ ક્ષશુભર સુખ ઉપજે છે. વળી સ` દિશાએ પ્રસન્ન થાય છે, સુગંધી શીતલ પન વહેવા લાગે છે અને પૃથ્વી પરથી ઉડતી ધૂળ બંધ થઈ જાય છે. સત્ર આનંદની અપૂર્વ લરિ પ્રસરી જાય છે. પછી તરત જ છપ્પનક્રિક કુમારીએ વડે સૂતિકાકમ થાય છે અને ચેાસા ઈંદ્રો વડે મેરુપર્વતના શિખર પર પાંડુકવનમાં તેમના અતિ ભવ્ય સ્નાત્રમહેત્સવ ઉજવાય છે, જેના અનુકરણરૂપે આપણે આજે વિવિધ પ્રકારની સ્નાત્રપૂજાએ ભણાવીએ છીએ. ૨૦૩ બધા તીથ કરા પુરુષરૂપે જ જન્મે છે, છતાં તેમાં કોઈ વાર અપવાદ પણ થાય છે. વમાન ચાવીશીના આગણીશમા તી કર શ્રીમલ્લિનાથ શ્રીરૂપે જન્મ્યા હતા. દિગમ્બર સંપ્રદાય શ્રીને મુક્તિની અધિકારિણી માનતા નથી, એટલે તે મલ્રિનાથને મલુનાથ નામના પુરુષ તીર્થંકર માને છે. તીર્થંકરના શરીરનું બંધારણુ ઘણુ મજબૂત હોય છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં વ—ઋષભ-નારાચ–સંઘયણુ કહેવામાં આવે છે. આ પ્રકારના શરીરબંધારણને લીધે તેઓ ગમે તેવા આક્રમણના સામના કરી શકે છે. તેમના શરીરનું સંસ્થાન–શરીરની આકૃતિ સમચતુરસ્ર હાય છે, એટલે કે પ્રમાપેણાત હાય છે. તેઓ ૧૦૦૮ શુભ લક્ષણૈાથી યુક્ત હાય છે અને તેમના સાથળમાં એક પ્રકારનું વિશિષ્ટ ચિન્હ
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy