SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ગાથને અર્થપ્રકાશ-૩ (૨૮) ભગવંત વિચરતા હોય ત્યાં પવનનું અનુકૂલપણે વહેવું. (૨૯) ભગવંત વિચરતા હોય, ત્યારે આકાશમાં પક્ષીઓ વડે પ્રદક્ષિણા આપવી. (૩૦) ભગવંત વિચરતા હોય, તે ક્ષેત્રમાં ગધદકની વૃષ્ટિ કરવી. (૩૧) ભગવંત જ્યાં વિદ્યમાન હોય, ત્યાં પચરંગી સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરવી. (૩૨) ભગવંતના દિક્ષા સમયથી કેશ, રેમ, દાઢી અને નખનું એક સરખું રહેવું, એટલે કે તેમાં વૃદ્ધિ ન થવી. (૩૩) ઓછામાં ઓછા એક ઝાડ દેવેનું ભગવંતની સમીપે રહેવું. (૩૪) ભગવંતની હાજરીમાં સર્વઋતુઓ તથા પંચેદ્રિયના વિષયેનું અનુકૂલ થવું. આ બધી લોકેત્તર વરતુ છે, એટલે તેમાં તર્કને સ્થાન નથી. હવે આ વિવેચન સમેટીને અર્થપ્રકાશ જાહેર કરી : જિન એટલે રાગ અને દ્વેષરૂપી અંતરંગ શત્રુઓને પૂરેપૂરા જિતી લેનારા તથા ચેત્રીશ અદૂભુત અતિશને ધારણ કરનારા.
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy