SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૬પ લેગસસૂત્ર દર્શનશુદ્ધિનું સાધન છે. પિતાના શહેરમાં ભયંકર ભૂકંપ થયેલે જાણને પિલે ઈજનેર બીજા દિવસે શહેરમાં આવ્યા. ત્યાં પિતાના બધા પુત્ર અને તેમને પરિવાર તથા તેમની મિલક્તને નાશ થયેલે જોઈને દિલગીર-દુઃખી થવાને બદલે તરત જ બેલી ઉડ્યોઃ “દેર હૈ, મગર અંધેર નહિ હૈ.' તાત્પર્ય કે કુકમીઓને તેમના કુકર્મોનું ફલ મળતાં કેટલેક વખત જાય છે, પણ ઈશ્વરના ઘરે એવું અંધારું નથી કે તેઓ તેની સજામાંથી છટકી જાય. વાવે તેવું લણે” “ખાડો ખોદે તે પડે.” “કુડના ડાંડિયા કપાલમાં વાગે” વગેરે લેકેક્તિઓમાં “સારાનું ફૂલ સારું અને બૂરાનું ફલ બૂરું” એ સિદ્ધાંતને જ રણકાર રહેલો છે. કુલિંગીઓને-મિથ્યાત્વીઓને દરદમામ, ભપકો કે વિશાલ પ્રચાર જોઈને તેની પ્રશંસા કરવા લાગી જવાથી પણ સમ્યકત્વ મલિન થાય છે. અહીં કદાચ એમ કહેવામાં આવશે કે “સારા કામને તે સારું જ કહેવું જોઈએ ને !' પણ તેમની પ્રશંસા કરતાં તેમના તરફ છૂપું આકર્ષણ જાગે છે ને તે તરફ ઘસડાઈ જવાને પ્રસંગ આવે છે, માટે જ આ લાલબત્તી છે. આજે તે આપણે જેમને મિથ્યાત્વીકુલિંગી ગણીએ છીએ, તેમના મેળાવડાઓ વગેરેમાં જવું પડે છે અને શિષ્ટાચારની ખાતર બે શબ્દો બેલવા પણ પડે છે, પણ ત્યાં માખણ ન લગાડતાં એવી ભાષાને પ્રગ કરે જોઈએ કે જેથી લાઠી ભાંગે નહિ અને સાપ મરે નહિ
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy