SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સવ જિનભક્તિનું ઘાતક છે. કરેલી સર્વ ધાર્મિક ક્રિયાઓ એગસ્વરૂપ છે. ધાર્મિક ક્રિયાઓમાં જિનભક્તિ અગ્રસ્થાને છે, એ ભૂલવાનું નથી. પ્રશ્ન–શું આને અર્થ એમ સમજવું કે જેના અંતરમાં જિનભક્તિ વસી ન હોય, તે ગમાર્ગમાં આગળ વધી શકે જ નહિ! ઉત્તર–એમ જ સમજવું જોઈએ. ગુરુ વિના જ્ઞાન નથી અને ગુરુ વિના કિયા પણ નથી. એગમાર્ગના પરમ ગુરુ એવા શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે ભક્તિ ન હોય, તે ભેગમાર્ગમાં આગળ વધાય શી રીતે ? પ્રશ્ન–શું જિનેશ્વરે એગમાર્ગના પરમગુરુ છે? ઉત્તર–હા જ તે, તેથી તે તેઓ યોગેશ્વર, યોગવિશારદ વગેરે વિશેષણ પામેલાં છે. શ્રીમાનતુંગસૂરિએ ભક્તામર-સ્તારની ચાવીશમી ગાથામાં કહ્યું છે કે त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यं, ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं, ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ “હે ભગવન્! સંત પુરુષે તમને જુદાં જુદાં નામે સંબોધે છે, જેમકે અવ્યય, વિભુ, અચિંત્ય, અસંખ્ય, આદિપુરુષ, બ્રહ્મ, ઈશ્વર, અનંત, કામદેવવિજેતા, ગીશ્વર, ગવિશારદ, અનેક, એક, જ્ઞાનમય, નિર્મલ વગેરે. શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે પણ ધ્યાનશતકના
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy