SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ આ લેગસ મહા સૂત્ર પડે છે. આવાં જિનાગને જે આપણે પવિત્ર-અતિપવિત્ર ન માનીએ તો આપણે બુદ્ધિને લંછન લાગે અને આપણે મૂર્ણોની જમાતમાં જ બિરાજવું પડે. જિનાગરમો પવિત્ર એટલે આવશ્યસૂત્ર પવિત્ર, કારણ કે તે એમાંનું એક છે. અને આવશ્યકસૂત્ર પવિત્ર એટલે લેગસસૂત્ર પવિત્ર, કારણ કે તે એને એક ભાગ છે. આ એટલું તર્કસંગત વિધાન છે કે તેને સ્વીકાર કર્યા વિના ચાલે જ નહિ. છતાં અહીં કેઈએમ કહેતું હોય કે “પવિત્ર પિતાને પુત્ર પવિત્ર જ હોય એવું સદા બનતું નથી. તે એ બે જુદા વ્યક્તિત્વની વાત છે. અહીં તે સોનાની પાટને એક ટૂકડો સોનું જ હોય, એ ન્યાય ગ્રહણ કરવાને છે. કેટલાક કહે છે કે “અહીં પવિત્ર-અપવિત્રની વિચારણા જ શા માટે ? સૂત્રે તે બધાં જ પવિત્ર હોય છે.” પરંતુ તેમની આ સમજણ-આ માન્યતા ભૂલભરેલી છે. આ જગતમાં અનેક શાસ્ત્રો–સૂત્ર રચાયાં છે, તે બધાં જ પ્રશસ્ત કે પવિત્ર નથી. તેમાંના કેટલાંક પ્રશસ્ત અને પવિત્ર છે, તો કેટલાંક અપ્રશસ્ત અને અપવિત્ર પણ છે. જે હિંસાને ઉપદેશ આપે, આડેધડ મેજમજાહ કરી લેવાનું જણાવે કે મધ-માંસ-મસ્ય-મુદ્રા-મૈથુનસેવનને કર્તવ્ય ગણવે, તેને તમે શું પ્રશસ્ત અને પવિત્ર ગણશે ? જેમણે આવાં શા-સૂત્રને પવિત્ર માની તેને આદર કર્યો, તેઓ પાપપંકના ઊંડા ખાડામાં પટકાઈ પડ્યા અને આખરે બેહાલ બની મરણને શરણ થયા. પરકમાં પણ તેમની અવગતિ
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy