SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ યશસ્વી કારકીર્દિની આગાહી આપતા શ્રીમાન કિશોરભાઈ રમણીકલાલ શાહ [[દ્રક જીવનપરિચય) સ્વ. શ્રીમાન રમણીકલાલ શાહને ટૂંક પરિચય કરાવ્યા પછી હવે તેમના પુત્રરત્ન શ્રીમાન કિશોરભાઈને ટૂંક પરિચય કરાવીશું કે જેમણે સંસ્કારસંપન્ન બની પિતાએ વિકસાવેલા વિશાલ વ્યવસાયને ભાર નાની ઉંમરમાં જ ઉઠાવી લીધું છે અને પોતાના વિરલ વ્યક્તિત્વથી અનેકનાં દિલ જીતી લીધાં છે. તેમને જન્મ વિ. સં. ૨૦૦૧ના ફાગણ સુદી ૧૦, તા. ૨૧-૨-૪૫ના રોજ તેમના મૂળ વતન વરતેજમાં થયો હતો. પ્રથમ * પુત્રનું પારણું બંધાય, એટલે સર્વ કુટુંબીજનોમાં આનંદનું વાતાવરણ ફેલાય, એ સ્વાભાવિક છે. પુત્રજન્મને નાનકડો ઉત્સવ કર્યા પછી માતા-પિતાએ તેમનું નામ કિશોર પાડયું. આ વખતે શ્રીરમણીકભાઈ ધંધાથે મુંબઈમાં સ્થિર થયેલા હતા, એટલે કિશોરભાઈની બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા તથા વિદ્યાર્થી અવસ્થા મુંબઈમાં જ પસાર થઈ. તેની છાપ તેમના વ્યકિતત્વમાં બરાબર અંકિત થયેલી છે. તેઓ સામાન્ય બાલક કરતાં વધારે લાડકોડમાં ઉછરેલા છે, છતાં તેમના જીવન-ઘડતરમાં કંઈ ખામી રહી નથી. તેમની ભાષા મધુર છે, તેમને વ્યવહાર સૌજન્યપૂર્ણ છે, તેઓ બધા સાથે મધુર સ્મિતપૂર્વક વાતચીત કરે છે અને પિતાના નેકર-ચાકર સાથે પણ ઘણું સલુકાઈથી વર્તે છે. સામાન્ય રીતે લક્ષ્મીનંદનના લાલ ખુશામતખોર મિત્રોથી ઘેરાચેિલા હોય છે, જે આખરે તેમના પતનનું કારણ બને છે, પરંતુ શ્રી
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy