SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ મહાસુa. તે માટે ક્ષમા માગવાની જરૂર નથી. પાડોશીધર્મ સમજીને હું અહીં આવ્યો છું. બેલે શી હકીકત છે?, બહેને કહ્યું : “મારી આ વીશ વર્ષની છોકરીને. વળગાડની પીડા છે. તે આજે એકાએક ધૂણવા લાગી અને તોફાન કરવા લાગી. અમે પ્રથમ તે તેને રાઈ–મીઠાને ધૂમાડે આવે અને બે–ચાર તમાચા ચડી દીધા, પણ તે શાંત થઈ નહિ. પછી સ્વામીજીને લાવ્યા. (સ્વામીજી એટલે સ્વામી રમણાનંદ. તેઓ આ કુટુંબથી પણ સારી રીતે પરિચિત હતા. તેમણે કહ્યું : “આમાં મારું કામ નહિ. પરંતુ ગામમાં મારે એક જાણીતો માણસ છે, તે વળગાડને દૂર કરે છે, માટે તેને બેલાવી લાવું. અને તેઓ મારી પતિ સાથે એ માણસને તેડવા ગામમાં ગયા છે. અમે કહ્યું: “ચિંતા ન કરો. બધાં સારાં વાનાં થશે” એટલે તેમનાં મેઢાં મરક્યાં, પણ અમે પિતે ઊંડી ચિંતામાં સરકી પડયા. જો કેઈ અજાયે ઉપાય અજમાવીશું ને તે નિષ્ફળ જશે તે શેઠ શું ધારશે ? અને આ છોકરીના કુટુંબની સ્થિતિ પણ કેવી થશે? પરંતુ એ જ વખતે. અમને યાદ આવ્યું કે દરેક તીર્થંકરનું નામ શાન્તિમંત્રનું કામ કરે છે, એટલે લેગસ્સસૂત્રના પ્રયોગથી આ વળગાડ. જરૂર દૂર થી જોઈએ. અને એ જ વખતે અમારું મેટું પણ મરકી પડયું. અમે સ્વસ્થ ચિત્તે કહ્યું : “એક પાણીને લોટો તથા ખાલી પ્યાલું લઈ આવ.” એ સૂચનાને તરત અમલ થયે. અમે લેટામાંથી થોડું પાણી પ્યાલામાં રેડ્યું. પછી અમને એવી અને
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy