SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ લેગસ્સ મહા સૂત્ર આ વખતે અમને મહાત્મા ચિલાતીપુત્રનું ચરિત્ર યાદ આવ્યું. તેમણે મુનિમુખેથી સાંભળેલા “ઉપશમ “વિવેક સંવર’ એ ત્રણ પદમાંથી કોઈ પણ પદને અર્થ તેઓ જાણતા ન હતા, પણ મનને ધ્યાનમાં જોયું કે અર્થને પ્રકાશ થયે. અમારે માટે પણ એ જ ર્તવ્ય છે, એમ સમજી અમે ધ્યાનમાં બેઠા. એ વખતે સ્મૃતિપટ પર બે શબ્દો તરી આવ્યા : એક “ નમસ્કારમંત્ર” અને બીજે ઉવસગ્ગહરે તેત્ર”. આથી “બે એવા ત્રણને ભેદ અમને સમજાઈ ગયે. - જૈન ધર્મનું શિક્ષણ લેતાં અને જૈન શાને સ્વાધ્યાય કરતાં અમને (૧) નમસ્કારમંત્ર, (૨) ઉવસગ્ગહરં સ્તંત્ર અને (૩) લેગસસૂત્ર એ ત્રણ મહારને સાંપડ્યાં હતાં. તેના ચિંતન-મનન અને આરાધનામાં અમને ખૂબ આનંદ આવતો હતો. તેમાંથી નમસ્કારમંત્ર અને ઉવસગ્રહ તેંત્ર અંગે અમે મનનીય ગ્રંથની રચના કરી ચૂક્યા હતા, પણ લેગસૂત્ર અંગે એવી કોઈ મનનીય ગ્રંથરચના ૧ નમસ્કારમંત્ર અંગેની અમારી ગ્રંથરચના “નમસ્કારમંત્રસિદ્ધિ નામથી પ્રકટ થઈ હતી અને તે ખૂબ જોકપ્રિય નીવડી હતી. તેની ત્રણ આવૃત્તિ થવા છતાં આજે તે અપ્રાપ્ય છે. ઉવસગ્ગહરં સ્તોત્ર અંગેની અમારી ગ્રંથ રચના “મહાપ્રભાવિક ઉવસગ્ગહરે તેત્ર યાને જૈન મંત્રવાદની જયગાથા” નામની પ્રકટ થઈ હતી અને તે પણ કપ્રિય બની હતી. તેની બે આવૃત્તિ થયા પછી આજે તે અપ્રાપ્ય છે.
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy