SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કાર વિજ્ઞાન આગળ વધવાના અધિકારી બનીએ છીએ, લોકપ્રિય થવાય છે. પ્રતિકૂળતાઓ દૂર થાય છે, અનુકૂળતાએ આવી મળે છે. વ્યવહારનાં વિદને ઓછાં થાય છે. લાંબા વખતે વચનસિદ્ધિ થાય છે. આ બધું પરમાત્માના નામસ્મરણના પ્રભાવે બને છે. ટૂંકમાં કહીએ તો આ જાપથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. અવધિજ્ઞાન જેવાં ત્રિકાળજ્ઞાન પણ આ જાપ કરવાથી પ્રગટે છે. આ જા૫ ગુણનો બનેલો છે. કેઈપણ ધર્મવાળા કરે તે તે કરી શકે અને તેના ધર્મને બાધ ન આવે તે છે. કેમ કે કેઈપણ ધર્મનું આમાં વિશેષ નામ નથી, પણ સામાન્ય નામ છે કે, વિશ્વમાં જે લાયકમાં લાયક તત્વ હોય તેને હું નમસ્કાર કરું છું એટલે મહાફળદાયક આ જાપ દરેક મનુષ્યોને કરવા ગ્ય છે. આગળ વધવા ઈચ્છનારને આ જાપ એ પ્રથમ ભૂમિકારૂપ છે. આંખો બંધ કરીને ભ્રકુટીની અંદર ઉપગ-સુરતા આપી, ઉઘાડી આંખે જેમ જોઈએ છીએ, તેમ બંધ આંખે અંદર જેવું અને ત્યાં “ અહં નમઃ” આ મંત્રનો જાપ કરો. - પ્રિય આત્માઓ! સંસારમાં જ્યાં દષ્ટિપાત કરીએ છીએ ત્યાં અશાનિ, ભય, દુઃખ, રોગ, શેકને આર્તધ્વનિ શ્રવણ થાય છે. મિત્ર ! શું તમે કોઈ દિવસ વિચાર કર્યો છે, કે આ બધાનું કારણ શું છે? શું આ રોગ, શેકાદિ અશાંતિથી મુક્ત થવાને કઈ રામબાણ ઉપાય છે, જે વડે અમે કુદરતી સહાયતા પ્રાપ્ત કરીને એનાથી મુક્ત થઈ શકીએ અને સંસારમાં શાંતિ સુખને પ્રચાર કરી શકીએ?
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy