SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સંગ-વિયેગમાં સમભાવ રહે છે. પિતામાં પરમેષિપણું રહેલ છે એમ જાણવાથી અને માનવાથી આત્મપ્રકાશ થત જાય છે. પરમેષ્ટિ ધારણમાં એવી શક્તિ રહેલી છે કે અલ્પકાળમાં આત્મા પરમેદિઠ રૂપે પ્રકાશી શકે છે. પરમેષ્ઠિની ધારણું થવાથી બાહિર ભાવનાઓને નાશ થઈ જાય છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં પરમેષ્ઠિની ધારણા થવાથી વિભાવદશામાં જે હું અને મારાપણાની જે ધારણાઓ થાય છે તેને સહેજે નાશ થાય છે. વિભાવમાંથી “અહં મમ” ભાવ નષ્ટ થતાં આત્મા પિતાના પરમેષ્ઠિ પર્યાને પ્રગટ કરે છે. પરમેષ્ઠિની ધારણા પરિપકવ થવાથી પરમેષ્ઠિના ધ્યાનની સિદ્ધિ થાય છે. આત્મા પિતે જ પરમેષ્ટિ છે, ત્રણ કાળમાં પણ આત્મામાં રહેલું પરમેઝિપણું નષ્ટ થતું નથી. કર્માવરણ દૂર થવાથી પરમેષિપણું યથાત પ્રકાશે છે. જ્યારે પણ આત્મા જ્ઞાનની ઉચ્ચ દશાને પામીને પિતામાં રહેલા પરમેષ્ઠિપણાને ઓળખશે, ત્યારે માયાની બ્રિમણાઓ દૂર થશે. આત્મામાં રહેલું પરમેષ્ટિપણે અનંત સુખમય છે. અંતર્મુખ ધારણ થવાથી બાહિરમાં કૂદકા મારતીભટકતી વાનરરૂપ મનોવૃત્તિઓને નાશ થવાથી સંયમ વડે આત્મશક્તિઓ પ્રકાશિત થાય છે. વિભાવમાં સંકલ્પ-વિકલ્પ કરવાથી આત્મશક્તિઓની હાનિ થાય છે. પરભાવ સંબંધી સંકલ્પ-વિકલ્પ બંધ થાય છે કે તરત જ કર્મો પણ આત્મપ્રદેશથી ખરવા લાગે છે, અને જે, જે અંશે કર્મવર્ગણ ખરે છે, તે, તે અંશે આત્માના ગુણે પ્રકાશે છે, અને તે, તે અંશે પરમેષ્ટિપણું પ્રગટ થતું જાય છે. પ્રથમ સાધુ રૂપ પરમેષ્ટિપણું આત્મા અંગીકાર કરે છે, ત્યારબાદ ઉપાધ્યાય રૂપ પરમેષ્ઠિની
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy