SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મુખ્ય વસ્તુ એ છે કે અટલ શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક નવકારનું સ્મરણ કરતા રહેવાથી, અજાણપણે હૃદયની શુદ્ધિ થતી જ જાય છે. જ્ઞાનીઓ કહે છે કે, શ્રદ્ધાપૂર્વક પરમેષિઓનું સ્મરણ કરતા રહે. એનાથી તમારા પાપ તે નષ્ટ થશે જ. વધુમાં, પરમાત્માને એ પવિત્ર સાનિધ્યથી તમારું સમગ્ર જીવન મંગળમય બની જશે. આત્મદર્શનને આ સુલભ ઉપાય છે : શ્વાસોચ્છવાસ સાથે, નિરંતર, અંતઃકરણમાં મૌનપૂર્વક, તન્મય થઈને નવકાર જપતા જ રહે છે. દુષ્કર ચિત્ત નિરોધ સહેજે થઈ જશે. હૃદયમંદિરમાં બિરાજતા આત્મદેવ દર્શન આપશે, “હું આ દેહ એ અજ્ઞાન–પડળ દૂર થઈ નવી જ જીવનદષ્ટિ તમને લાધશે, ને અહીં જ મુક્તસુખ ચાખશે. પંચપરમેષ્ઠિનું આધ્યાત્મિક સ્વરૂપ આત્માની અંદર જ પંચપરમેષ્ટિપણું રહ્યું છે. આત્મા જ અરિહંત” રૂપ થાય છે. આત્મા જ “સિદ્ધ” રૂપ થાય છે. આત્મા જ “આચાર્ય' રૂપ થાય છે. આત્મા જ “ઉપાધ્યાય રૂપ થાય છે. આત્મા જ “સાધુ” રૂપ બને છે. “જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ' એ પણ આત્માના ગુણે છે, નવપદની લક્ષ્મી પણ આત્મામાં જ રહેલી છે, જ્યારે પણ નવપદને પ્રકાશ થશે ત્યારે આત્મામાંથી જ થશે. પંચપરમેષ્ઠીપણું પણ આત્માના
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy