SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય છે. એના ઉપર આપણે ત્યાં આજે બહુ ઓછું ધ્યાન અપાય છે. ખરી ચિકિત્સા મનની જ કરવા જેવી છે. મનને શુદ્ધ રાખવા માટે એનું ચેકિંગ (નિરીક્ષણ) ખૂબ જરૂરી છે. ઘરને પણ સાફ રાખવા માટે જ વાળવું ઝુડવું પડે છે. એક વખત કચરે લઈ લીધે એટલા માત્રથી કામ પતી જતું નથી. ફર્નિચરને સાફ રાખવા માટે એના ઉપરની ધૂળ અને ૨જ વારંવાર ઝાટકવી પડે છે, તેમ મનને પણ ઇષ્ટ વિષયોની પ્રાપ્તિની કાંક્ષા (ઈચ્છા, વાસના)ને ભેજ ન લાગે કે બીજાની ઈર્ષ્યા, અસૂયા, (અદેખાઈ) તિરસ્કારાદિ મલિન ભાવનાની રજ ન ચોંટે એ માટે, દિવસની પ્રવૃત્તિ કરતાં, કરતાં વચ્ચે અટકી જઈ, મનનું નિરીક્ષણ-અવલોકન કરવું આવશ્યક છે. ૫. સમર્પિતતા | સામાન્ય સતે માનવ નમસ્કારમંત્ર જપશે, પરંતુ તે તેને સમર્પિત (અર્પણ થવું) થઈ શકતો નથી, કારણ કે તેનાથી પિતાની સઘળી ઇષ્ટ સિદ્ધિ થઈ રહી છે, એવી એને પ્રતીતિ હેતી નથી. “કિ વનિએ બહુણ? તું નOિ જ્યશ્મિ કિર ન સંકે, કાંઉં એસ જિયાણું, ભત્તિપત્તિ નમુક્કારે.” શ્રી વૃદ્ધ નમસ્કાર ફલ સ્તોત્ર, ગાથા ૯૨ કે “શાસ્ત્રકારે કહે છે કે જગતમાં એવું કેઈ કાર્ય નથી જે નવકાર સિદ્ધ ન કરી આપે.”
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy