SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મંત્ર વિજ્ઞાન અને સાધના રહસ્ય હોય તે ગામ તે પિતાની મેળે આવીને ઊભું રહે છે. તેવી -જ રીતે વાસ્તવિક કારણેના આસેવનમાં મંડ્યા રહેવાથી એના ફળ રૂપે જે કાર્ય થવાનું છે, તે તો એના કાળે આવીને ઊભું જ રહે છે. એ પ્રમાણે કાર્ય-કારણની સનાતન વ્યવસ્થા છે. પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવાથી, તેમનું સ્મરણ કરવાથી તેમના નામને જપ જપવાથી જેમ સહાયવૃત્તિ, વિનય, સદાચાર, -અવિનાશીપણું અને પરોપકાર વગેરે લોકોત્તર ગુણે પ્રત્યે પ્રેમભાવ જાગૃત થાય છે, તેમ બીજા પણ અનેક લાભ થાય છે. ખરી રીતે આ નમસ્કાર મંત્ર એક મહાન શક્તિ છે. અથવા -શક્તિનો પૂંજ છે. પ્રતિપક્ષી વસ્તુને હઠાવવા માટે હંમેશા શક્તિની જરૂર પડે છે. અનાદિકાળથી આ જીવના સાચા પ્રતિ પક્ષી કોઈ હોય તે તે અષ્ટ પ્રકારના કર્મો જ છે. એ કર્મોમાં પણ મોહનીય કર્મ મુખ્ય છે. આઠ કર્મોને નાયકના સ્થાને છે. એ મોહનીય કર્મના બે પ્રકાર છે; એક દર્શન મેહનીય અને - બીજું ચારિત્ર મેહનીય. આ મેહનીય કર્મને જીતવાથી બીજાં કર્મોનું બળ જર્જરિત થઈ જાય છે. આ પરમેષ્ઠિ નમસ્કાર મંત્રથી મહ કર્મને સમૂળ નાશ થાય છે. મેહના નાશથી બીજાં કમે અવશ્ય નાશ પામે છે એટલા માટે જ નવકાર મંત્રમાં જ “સરવપાવપણાસણે” એવું પદ મૂક્યું છે. નમસ્કાર મંત્રથી મેહનીય કર્મ શી રીતે નાશ પામે છે; તે વિચારીએ. મેહનીય કર્મમાં પણ દર્શન મેહનીય પ્રબળ છે. નમસ્કારમંત્રનાં પ્રથમ પદ “નમે અરિહંતાણું” થી દર્શનમોહનીય છતાય છે. દર્શનમોહ એટલે ઊલટી માન્યતા અરિહંત પ્રભુને ભાવથી નમસ્કાર કરવાથી જીવ સીધી
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy