SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ મવિદ્યાના પ્રભાવ ૧૮૩ ગળે આવી ગયા હતા. છતાં તે હજુ છેલ્લા દાવ રમીને પણ ઝવેરીને મચાવી લેવા તૈયાર થઈ ગયા. હેમર સ્મિથમાં વડાપ્રધાન હેરાલ્ડ મેકમિલન માટે એક રૂમ હંમેશા માટે ખાલી રાખવામાં આવતા. આ રૂમ જે મળી જાય તેા ઝવેરીને ઝિલમિલાતા જીવનદીપ ફ્રી ઝળહળી ઊડે એમ હતા. ગીમ્સન પ્રા. સ્કેન્ડિંગ અને પેાતાના "બીજા બે-ત્રણ મિત્રાને સાથે લઈને સાંસદ-સભ્યને મળ્યા અને સંસદ સભ્યાનો સાથ લઈને સહું વડાપ્રધાન મેકમિલન સામે ખડા થઈ ગયા. ગીબ્સને આખી વાત જણાવી. કેસની ગંભીરતા સાંભળીને વડાપ્રધાન પણ આ કેસને બચાવી લેવા તૈયાર થયા અને પેાતાના માટે રાખવામાં આવેલા સુખસગવડભર્યા રૂમને એમણે ઝવેરી માટે સુપ્રત કરી દીધેા. એક હિન્દી નવયુવાનનું જીવન બચાવી લેવા પેાતાના વડાપ્રધાને જે ઉદારતા દાખવી એને અભિનંદને સહુ પાછા ફર્યા. ડૉ. ઝવેરી અસહ્ય યાતના ભોગવી રહ્યાં હતા. એમને થયુ' કે ખસ ઇંગ્લેન્ડની ધરતી પર જ મારે શ્વાસ છેાડવા પડેશે કે શું? ત્યાં તે એમ્બ્યુલન્સ કારનું હેાન સભળાયુ'ને ઝવેરીના જીવમાં જીવ આવ્યા. બુધવારની છેક સાંજે ઝવેરીને હેમરસ્મિથમાં પ્રવેશ કરાવીને ગીબ્સન હવે નિદાન કરાવવાની રતૈયારીમાં પડયા.
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy