SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ત્યારે સાંજના લગભગ સાડાસાત વાગ્યા હશે. મેં બહારથી કેઈ આવે નહીં, કંઈ ડખલ ન થાય, એટલા માટે ઘરનાં બારણાં બંધ કરાવ્યાં કુટુંબીઓને એકઠાં કરી સૌની સાથે મેં ખમત ખામણાં કર્યા. જીવન દરમિયાન થયેલ વિવિધ માટે સૌની સાથે માફીની લેવડદેવડ કરી લીધી. અને સાથે જગતના સર્વ જીવોને ખમાવી અંત:કરણપૂર્વક મૈત્રીભાવની ઉદ્દઘાષણ કરીઃ “સ્વામિ નવે નવા, નવે નવા વમતુ રે, मिति मे सव्व भूपसु, वेरमज्झ न केणई." અને ભાવના ભાવી કે, “જગતના સર્વ જીવે સુખી થાઓ, સુખી થાઓ; જગતના સર્વ જી ની રેગી બને, નરેગી બને, નીરોગી બને, સર્વ જીવનું કલ્યાણ થાઓ, કઈ પાપ ન આચરે, કઈ દુઃખ ન પામે, જગતના સર્વ જે કર્મથી મુક્ત બને, મુક્ત બને.” અંતઃકરણના ઊંડાણમાંથી આ ભાવના કરી હું નવકારના દયાનમાં લાગી ગયે. “રખેને મારી દુર્ગતિ થઈ જાય' એ ભયથી, ખૂબ જ જાગૃતિપૂર્વક હું નવકારમંત્રમાં લીન બન્યું. હવે મારે બીજું કંઈ જોઈતું ન હતું. મને ધૂન લાગી હતી સગતિની. સદ્ગતિ થાય એ માટે હું નવકાર અને ભાવનામાં-વીસ પચીસ નવકાર અને ફરી સર્વ જીવો પ્રત્યે મત્રીની પૂર્વોક્ત ભાવનામાં લાગી ગયો. એમાં ચિત્ત પરોવવાથી હું વેદનાને થોડી ભૂલે. અગિયાર વાગે મને જબરજસ્ત ઊલટી થઈ આખું તપેલું ભરાઈ ગયું! હું બેહોશ થઈ ગયે. ઘરના માણસ સમજ્યા કે આ છેલ્લે ચાળે
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy