SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રવિદ્યાને પ્રભાવ ૨૨૩ પિતે આગળ ચાલ્યો અને પાછળ, પાછળ તે યુવતી ચાલી. યુવતીને મંત્રજપ તે હજુ ચાલુ જ હતું, તે દેવીપુરુષ, બજારમાં દુકાને પર તથા માનને બારાદરી કયાં છે તે વિશે પૂછે, પણ પણે લાગતું નહોતું. લગભગ આવી રીતે ફરતાં ત્રણેક કલાકે મુનિઓનું રહેઠાણ સાંપડ્યું પણ બાર વાગતા સુધી કે જાગ્રત હોય? ત્યાં જઈને તેમને જાગ્રત કર્યા અને ત્યાંને સેવક પછી સાધ્વીઓના મુકામે બહેનને લઈ ગયે. તે દેવપુરુષે જાતે બધી વ્યવસ્થા કરી અને પછી અદશ્ય થઈ ગયો. કહેવાનો મતલબ એ છે કે-ઈષ્ટ મંત્રમાં કેટલી શક્તિ છે, તેને પ્રત્યક્ષ પરિચય આવા સંકટને સમયે જ થાય છે. આવી નિરાધાર પરિસ્થિતિમાં મંત્રપ્રભાવે દેવપુરુષે સહાયક બને છે. તે દેવીપુરુષ કોણ હશે ? તે વાચક બંધુ તું સ્વયં વિચારજે. બાકી આ બધે મંત્રનો જ પ્રભાવ હતો. આજકાલ લોકોને જેટલો ડોકટરે ઉપર વિશ્વાસ છે એટલે જે પ્રભુ ઉપર હોય તે કેટલું સારું ? ધર્મ ઉપર, ઇશ્વર ઉપર કે મંત્ર પર જે શ્રદ્ધા હોય તો તે અવશ્ય ફળદાતા થાય છે જ. શાસ્ત્રમાં આ વાત પર ઘણું લખેલ છે, પરંતુ અત્યારનો માનવી ભણતર માત્ર પૈસા પ્રાપ્ત કરવા ખાતર જ ભણે છે. માનવનું લક્ષ અનિત્ય એવા ધન, વૈભવની વૃદ્ધિ તરફ જ છે પણ જીવન રૂપી ધન જે છે તેનું સંરક્ષણ વૃદ્ધિ વગેરે તરફ લક્ષ જ નથી, આ કેટલા ખેદને વિષય છે. ભવ્ય ! જાગ્રત થાઓ, ઊઠે, તમારી જીવન શક્તિ જાગ્રત કરનાર તમારા આત્મવિશ્વાસને પ્રગટ કરનાર, ફક્ત ઈશ્વરી શ્રદ્ધા, ધર્મશ્રદ્ધા અને મંત્રશક્તિ જ છે. તે ન ભૂલશે. મંત્રમાં મહાન શકિત છુપાયેલી છે, પણ તે શક્તિ પિતાને પ્રભાવ
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy