SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. તપાસ કરાવી તે માલૂમ પડયું કે, કળાવતી ચંડપિંગળ નામના ચારની સાથે રહે છે. તે ઉપરથી તેણે ચંડપિંગળનું ઘર ઘેરી લઈ તેને પકડી મંગાવ્યો, અને તેને શૂળી પર ચડાવવાને હુકમ કર્યો. રાજાના માણસે ચંડપિંગલને લઈને શૂળીએ ચડાવવા ચાલ્યા. આ ખબર કળાવતીને પડતા તે અત્યંત દિલગીર થઈ, અને પશ્ચાત્તાપ કરવા લાગી કે, મારી ભૂલથી ચંડપિંગલની આ દશા થઈ. હું તેને કઈ રીતે. સહાયતા કરી તેને બચાવવા સમર્થ નથી, તેથી તેને અંત અવશ્ય થવાને જ. તે આ અવસરે તેને નમસ્કાર મંત્રનું સ્મરણ કરતા શીખવું, જેથી તેમની ગતિ સુધરે. એમ વિચારી તે બુદ્ધિશાળી ગણિકા વધારસ્થંભ તરફ ચાલી અને ચંડપિંગલ પાસે આવી; પિતાના અપરાધની માફી માગવા લાગી. ચંડપિંગલ બોલ્યા, “કંઈ નહિ, તેમાં તારે કેઈ અપરાધ નથી, એ તે ભાગ્યને દેષ છે. ” પછી કળાવતીએ ચંડપિંગલને કહ્યું, “ આ તમારા અંત સમયે હું તમને એક અતિ ઉત્તમ મહાન પ્રભાવશાળી શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્ર આપવા આવી છું, તો તમે તેને શુદ્ધ શ્રદ્ધાથી અંગીકાર કરે. તેથી તમારા સર્વ પાપ ક્ષય થઈ જશે, ને તમે ઉંચ ગતિને પામશે. ” ચંડપિંગલે ઘણું ખુશીથી તે મંત્ર લીધે. પછી ચંડપિંગલને શૂળીએ ચડાવવામાં આવ્યું. ત્યાં તે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે, કરતો મરણ પામ્યો. ચંડપિંગલને શુળીએ ચડાવ્યા પછી કળાવતી ઘેરા
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy