SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ગયા. શેઠાણું હંમેશાં સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મધ્યાન કરતાં, ત્યારે તે વાછરડાં તેની પાસે આવીને ઊભા રહેતાં. તેમ કરતાં એમને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઈ, આથી તેઓ ધર્મ કરવાને સભાનવાળા થયા. અને અગિયાર વ્રતધારી શ્રાવકપણું અંગીકાર કર્યું, અને ઉપવાસ આદિ તપ પણ કરવા લાગ્યા. એક દિવસ તે શેઠને એક મિત્ર પરદેશથી માલના ૫૦૦ ગાડાં ભરીને આવતું હતું. તે મથુરાની નજીક આવ્યા, ત્યાં ઘણા વરસાદને લીધે કીચડ થઈ ગયેલું હોવાથી, તેમ જ ગાડે જોડેલા બળદ લાંબી મુસાફરીને લીધે થાકી ગયેલા હોવાથી, તેનાં ગાડાં અટકયાં. આ વખતે સુભદ્ર મનમાં મુંઝાવા લાગ્યો. એવામાં તેને પિતાના મિત્ર જિનદાસને ત્યાં બે જોરાવર વાછરડાં છે એમ યાદ આવ્યું. એટલે તે ઉતાવળે ગામમાં આવ્યો. આ વખતે શેઠ-શેઠાણીને પિષધવ્રત હોવાથી, અને પિષધશાળામાં હતાં, તેથી સુભદ્ર પિતાના મિત્રના બળદ જાણીને કેઈની રજા માંગ્યા સિવાય તેમને છોડીને લઈ ગયા. ત્યાં જઈને તેણે તેને દરેક દરેક ગાડાએ જેડી તમામ ગાડાં તેમની પાસે કીચડમાંથી આ તરફ બહાર કઢાવ્યાં. એથી એ બળદોને ઘણું જોર વાપરવાથી તેમનાં આંતરડાં તૂટી ગયાં અને તેઓ લેહીહાણ થઈને ઘરે આવ્યાં. બીજે દિવસે શેઠ-શેઠાણું આવીને જુએ છે, તે - કંબલ-સંબલની ઘણી જ દુર્દશા થયેલી જોઈ. પૂછપરછ કરવાથી સર્વ કારણ જણાયું તેથી શેઠ-શેઠાણી ઘણું જ દિલગીર થયાં અને પિતે મેહમાં પડીને ધર્માણા ભંગ કરી, તેથી
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy