SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના વિધિ-વિજ્ઞાન અંતર્યામી પ્રભુ જાગૃત થાય અને હૃદય મંદિરના દરવાજા ખોલી નાખે અને સાધકને દર્શન આપીને કૃતાર્થ કરે. - દુર્લભ મનુષ્ય જન્મ પામીને પ્રભુને પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરે, કે જેને પ્રાપ્ત કરવાથી બધું પ્રાપ્ત થાય, પ્રાપ્ત કરવાનું બીજું કાંઈ બાકી ન રહે એને જાણવાનો પ્રયત્ન કરો કે જેને જાણવાથી સર્વ વસ્તુ જાણી શકાય, અને બીજું કશું જાણવાનું બાકી ન રહે. પ્રભુને ચાહે, તેમનાથી પ્રેમ જોડે કે જેનાથી પ્રેમ કરવાથી બીજા બધાં પ્રેમ, કામિની-કંચન પરની આસક્તિ, ધૂળ રાખ જેવી લાગે. એવી રીતે જીવન ઘડી કાઢે કે જેથી મૃત્યુહીન જીવન મેળવી શકે. પરાભક્તિ, જ્ઞાન અને મુક્તિ પ્રાપ્તિની જે અભિલાષા રાખતા હે તે અંતરમાં અને બહાર પવિત્ર થવું પડશે. દેહ અને મન શુદ્ધ, પવિત્ર હોવાં જોઈએ. તેને ઉપાય, “કંચનકામને ત્યાગ” અત્યંત કઠણ છે, છતાં દુર્લભ નથી. તનતેડ પ્રયત્ન અને અભ્યાસ, પુરુષાર્થ અને સાધના વડે બધાં કર્યો અવશ્ય સિદ્ધ થાય. પુરુષાર્થ પણ પ્રભુકૃપાએ અને પુણ્યોદયે જ થાય. “લાઓમાંથી એક બે છૂટે એ ખરું, પણ કેણુ કહી શકે કે તમે એ બેમાંના એક નથી ? એ શ્રદ્ધાથી આગળ ધપ. માનવહૃદયની જમીન કાંઈ વાંઝણી નથી. ખેડાણના અભાવે ઘાસ, દુર્વાથી ભરાઈ ગઈ છે. સાપ, વી છીનું રહેઠાણ બની ગઈ છે. તેથી હંમેશા ભય લાગ્યા કરે છે. આ માનવ જીવનરૂપી જમીનને ખંતપૂર્વક ખેડવાથી ને ગુરુએ બતાવેલી સાધન
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy