SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સર્વ પ્રાણી પ્રત્યે આત્મબુદ્ધિ રાખવી. વાયુની જેમ કઈ વસ્તુ પર આસકિત ન કરવી. આ પ્રમાણે નિયમોના પાલન સહિત મનને સ્વસ્થ રાખીને સાધનામાં સંલગ્ન રહેનારની મંત્ર સાધના ફળદાતા બને છે. પર આમ સાધકે ઊઠતા, બેસતા, ચાલતા અને ફરતા અર્થાત પ્રત્યેક દશામાં સર્વદા પ્રસન્ન રહેવાનો અને આનંદપૂર્ણ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંસારને નિયમ વિચિત્ર છે, જે જેવું વિચારે છે તેની પાસે તેવી જ વસ્તુઓ તથા પદાર્થો પોતાની મેળે ખેંચાઈને આવે છે. દરિદ્રીની પાસે દરિદ્રતા, ધનવાનની પાસે ધન, વૈભવ વગેરે આકર્ષિત થઈને આવે છે. પંડિત પાસે પંડિત, વૃદ્ધોની પાસે વૃદ્ધ અને બાળકની પાસે બાળકે એકઠા થઈ જાય છે. એ રીતે જે સર્વદા ઉદાસી અને દુઃખી રહે છે, એને હરતરેહના દુઃખ તથા સંકટ ઘેરાયેલાં રહે છે રોતી. શીકલ સદા રેતા જ રહે છે. એને સંગ વિપત્તિઓ કયારે પણ છેડતી નથી. પણ એનાથી વિપરીત જે સદા પ્રસન્ન રહે છે એની પાસે સંસારના દરેક જાતના સુખ, સંપદા, સમૃદ્ધિ, અને આનંદ આકર્ષાય આવે છે પ્રસન્ન અને હસમુખ મનુષ્યના ફેફસાં પહોળાં હોય છે. ફેફસાં, હૃદય અને શરીરનું સમગ્ર યંત્ર ખૂબ ઉત્સાહની સાથે કામ કરે છે. પ્રસન્ન રહેવાથી શરીરનું લેહી શુદ્ધ બને છે અને બધા રોગે નષ્ટ થાય છે. પ્રસન્ન મનવાળાની ઈન્દ્રિય પણ પ્રફુલ્લિત અને પ્રસન્ન રહે. છે. સદા પ્રસન્ન રહેવાવાળાની આ સતેજ રહે છે. પ્રસન્ન . રહેવાથી ખૂબ ભૂખ લાગે છે તથા અજીર્ણ અને કબજિયાત,
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy