SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રોઉપાસના ૧૪૩ મંત્ર સિદ્ધ થઈ શકતો નથી. જપ કરવાથી પુણ્યને સંચય થાય છે પણ ભેગથી એને ક્ષય પણ થાય છે. એથી પ્રાજ્ઞ પુરુષ એને સારે સમજતા નથી. પરંતુ સર્વ સાધક સમાન હિતા નથી કેટલાક એવા કનિષ્ટ સાધક પણ હોય છે જે શુદ્ધ મેક્ષથી અતિરિક્ત અન્ય ધર્મ અવિરુદ્ધ કામનાઓ પણ પૂર્ણ કરવાના અભિલાષી હોય છે. મિથ્યાત્વી દેવો અને મિથ્યા સાધન કરીને પોતાની ભયંકર હાનિ કરવા કરતા, તે લેકે પિતાના ઈષ્ટ મંત્રને કામ્ય જપ કરીને મનને શાંત કરે અને પરમાર્થ પ્રવીણ બને, એ અધિક શ્રેષ્ઠ છે. ૩. પાયશ્ચિત્ત જપ પિતાના અજાણતા જે પાપ, જે દોષ કે પ્રમાદ થઈ જાય, તે એ દુરિત-પાપના નાશ માટે જે જપ કરવામાં આવે છે, તેને પ્રાયશ્ચિત્ત જપ કહે છે. મનુષ્યના મનની સહજ ગતિ અર્ધગતિની તરફ હોય છે. એથી એનાથી અનેક પ્રમાદવશ દેષ થઈ જાય છે. જે એ દેનું પરિમાર્જન ન થાય, તો અશુભ કર્મોનું સંચિત નિર્માણ થઈને મનુષ્યને અનેક દુખ ભોગવવા પડે છે અને સંચિતનું પ્રારબ્ધ બનીને ભાવિ દુઃખોની સૃષ્ટિ રચે છે. માટે એવા જીવાત્માઓ જે સંકલ્પપૂર્વક જપ કરે, તે તેઓ વિમલાત્મા બની શકે છે, મનુષ્યથી નિત્ય અનેક પ્રકારના દેષ થાય છે. એ માનવસ્વભાવ છે, એ માટે હંમેશાં એ દોષોને નષ્ટ કરવા, એ મનુષ્યનું કર્તવ્ય જ છે. અલ્પ દેષ માટે અલ્પ અને અધિક દેષ માટે અધિક જપ કરવો જોઈએ. જે રોજ એ કામ
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy