SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જાપાનની આશ્ચર્યકારક પ્રગતિ ૬૧ ૧૮૬૦ની સાલ પછી ચીનમાં શક્તિનું દર્શન થાય છે એ વાસ્તવમાં સાચી શક્તિ નહોતી. શક્તિશાળી અમલદારોએ અને ખાસ કરીને લી હૂંગ ચાંગે અહીં તહીં થેાડા સ્થાનિક સુધારા કર્યાં હતા. પર ંતુ એ સુધારાએ પ્રશ્નના મૂળને ન સ્પર્શી શક્યા અથવા ચીનને દુર્ગંળ બનાવી રહેલા વ્યાધિને નિર્મૂળ કરી ન શક્યા. આ વરસા દરમ્યાન ઉપરઉપરથી જોતાં ચીનમાં તાકાતનું દર્શન થતું હતું એનું પ્રધાન કારણ એ છે કે તે વખતે ચીનની હકૂમતનાં સુત્રો એક સમર્થ રાજકર્તાના હાથમાં હતાં. આ રાજકર્તા તે રાજમાતા ઝુશી. તે એક અસાધારણ સ્ત્રી હતી. તેના હાથમાં સત્તાનાં સૂત્રો આવ્યાં ત્યારે તેની ઉંમર માત્ર ૨૬ વરસની હતી. ગાદીવારસ તા તેનેા પુત્ર હતા પરંતુ તે બાળક હાવાથી નામના જ સમ્રાટ હતા. ૪૭ વરસ સુધી ઝુ–શીએ ચીન ઉપર અસરકારક રીતે શાસન કર્યું. તેણે કુશળ અમલદારા પસંદ કર્યાં અને તેમના ઉપર પોતાના સામર્થ્યના પ્રભાવ પાડ્યો. આ કાર્યકુશળ અમલદારો તથા તેમના સમર્થ રાજકર્તાને લીધે પહેલાંનાં વરસે કરતાં ચીને પોતાની તાકાતને જરા વધારે સારા દેખાવ કર્યાં. પરંતુ એ અરસામાં સમુદ્રની એક સાંકડી પરીની પેલી બાજુ જાપાન પોતાની આશ્ચર્યકારક ઉન્નતિ કરી રહ્યુ હતું, અને ઓળખી ન શકાય એ રીતે પોતાની કાયા પલટી રહ્યુ હતું. એટલે હવે આપણે જાપાન જવું જોઈ એ. ૧૧૬. જાપાનની આશ્ચર્યકારક પ્રગતિ ૨૭ ડિસેમ્બર, ૧૯૩૨ મે તને જાપાન વિષે લખ્યાને ઘણા વખત થઈ ગયા. ૧૭મી સદીમાં એ દેશે અજબ રીતે પોતાનાં દ્વાર ભીડી દઈને દુનિયા સાથેના પોતાના સંપર્ક તન્યેા હતા એ વિષે મેં તને પાંચ માસ કરતાંયે વધારે સમય ઉપર વાત કરી (૮૧મા પત્રમાં) હતી. ૧૬૪૧ની સાલથી ૨૦૦ કરતાં પણ વધારે વરસ સુધી જાપાનના લોકા બાકીની દુનિયાથી વિખૂટા રહ્યા. આ ૨૦૦ વરસ દરમ્યાન યુરોપ, એશિયા અને અમેરિકા તેમ જ આફ્રિકામાં પણ ભારે ફેરફારો થયા. આ કાળ દરમ્યાન બનેલા કેટલાક રોમાંચક બનાવા વિષે હું તને કહી ગયો છું. પરંતુ આ એકાન્તસેવી પ્રજાને એમની કશી જાણ થઈ નહિ; જાપાનના પુરાણી દુનિયાના ચૂડલ વાતાવરણના ભગ કરનાર પવનની એક લહરી સરખી પણ બહારની દુનિયામાંથી ત્યાં જઈ શકી નહિ. જાણે કાળ તથા પરિવર્તનની ગતિ રોકી દેવામાં આવી હોય અને ૧૭મી સદીના વચગાળાના કાળને બંદીવાન કરી રોકી રાખવામાં આવ્યેા હોય એમ લાગતુ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy