SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ પૂતિ ૧૪૯૧ આંખ મીંચીને શસ્ત્રસજ્જ થવા માંડયુ છે તેને લીધે પણ અમુક અંશે આ આર્થિક સુધારા થવા પામ્યા છે. દેખીતી રીતે જ આવા સુધારે સલામત કાયમી નથી હોતા. મેાટા પ્રમાણમાં એકારી તો હજી કાયમ જ છે. બ્રિટિશ સામ્રાજ્ય : આજે તે ઇંગ્લેંડ આર્થિક કટોકટી પાર કરી ગયું છે. પરંતુ બ્રિટિશ સામ્રાજ્યની હાલત ઘણી જ ખરાબ છે અને તેના વિખેર માટે કાર્ય કરી રહેલાં આર્થિક તેમ જ રાજકીય ખળા બળવાન થતાં જાય છે. તેના શાસકે સુધ્ધાં તેને વિષેની પોતાની શ્રદ્ધા તથા તે ચાલુ રહે એવી આશા ગુમાવી બેઠા છે. તેઓ પોતાના આંતરિક પ્રશ્નોને ઉકેલ કરી શકતા નથી. સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને કૃતનિશ્ચય થયેલું હિંદુસ્તાન દિનપ્રતિદિન વધુ ને વધુ બળવાન થતું જાય છે અને નાનકડા પૅલેસ્ટાઈને એ શાસને અસ્વસ્થ કરી મૂક્યા છે. મૂડીવાદી દુનિયામાં ઇંગ્લેંડનું મહાન હરીફ્ અમેરિકા બ્રિટિશ સરસાઈ ને પડકાર આપી રહ્યુ છે અને બ્રિટિશ સરકારનું વલણ ફાસિસ્ટ સરકારની તરફેણનું હોવાથી તે ઇંગ્લંડથી ઉત્તરોત્તર દૂર જતું જાય છે. સેાવિયેટ રશિયા સફળતાપૂર્વક સમાજવાદી વ્યવસ્થા નિર્માણ કરી રહ્યું છે અને એ હરેક પ્રકારના સામ્રાજ્યવાદનુ વિરોધી છે. બ્રિટિશ સામ્રાજ્યની મહામૂલી વસ્તુ તરફ ઇટાલી તથા જની લાભી નજરે નિહાળી રહ્યાં છે. મ્યૂનિય આગળ તેમની ધમકીઓથી ડરી જઈ તે તેણે નમતું આપ્યું તેથી એ ફાસિસ્ટ સત્તા તેને ખીજા વર્ગોની સત્તા તરીકે ગણવા લાગી છે અને તેની સાથે ઉદ્ધૃત અને તેાડી ભાષામાં વ્યવહાર રાખે છે. લેાકશાહીને વધારે વ્યાપક બનાવીને તેમ જ સામૂહિક સલામતીના સિદ્ધાંતને વળગી રહીને ઇંગ્લંડ પોતાની સ્થિતિ મજબૂત બનાવી શક્યુ હાત. પરંતુ એ છેડીને તેને ખલે હિટલરને ટેકા આપવાનું તેણે પસંદ કર્યું અને હવે બ્રિટિશ સામ્રાજ્ય વિષમ પરિસ્થિતિમાં આવી પડયું છે. તેની મ્યૂનિયની નીતિને પરિણામે ઉત્પન્ન થતાં અનેક વિધી તત્ત્વાના વમળમાં તે સપડાયું છે. વલારૢતો: હવે જર્મની વસાહતની માગણી કરે છે અને આપણને કહેવામાં આવે છે કે તે ‘ ગરીબ’ અને ‘· અસ ંતુષ્ટ' સત્તા છે. પરંતુ વસાહતા વિનાની નાની નાની સત્તાઓનું શું? અને પેલા સાચા ‘ ગરીબો વસાહતાના લોકેાનું શું? આખાયે દલીલ સામ્રાજ્યવાદી વ્યવસ્થા ચાલુ રહેવા ઉપર રચાયેલી છે. કાઈ પણ દેશના સતેષ યા તે અસ ંતોષના આધાર તે દેશમાં અખત્યાર કરવામાં આવતી આર્થિક નીતિ ઉપર રહે છે. અને સામ્રાજ્યવાદી વ્યવસ્થા નીચે હંમેશાં અસંતોષ જ રહેવાના કેમ કે એમાં હમેશાં અસમાનતા રહેવાની. ક્રાંતિ પહેલાંના ઝારશાહી રશિયાને અસંતુષ્ટ અને વિસ્તરતી જતી સત્તા કહેવામાં આવતી હતી. સાવિયેટ રશિયાના પ્રદેશ આજે એ છે પરંતુ તે ‘સંતુષ્ટ ’
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy