SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ કટેકટી શાથી પેદા થઈ? ૧૩૧૯ કેટલાક લોકોએ માત્ર નફાપદ્ધતિ જ નહિ પણ જે મુજબ નાણાં આપીને માલ ખરીદવામાં આવે છે તે ખુદ કિંમતપદ્ધતિને પણ રદ કરવાના ચોંકાવનારા ઉપાય સૂચવ્યા છે. આ ઉપાયો એટલા બધા અટપટા છે કે તેને ખ્યાલ અહીં આપી શકાય એમ નથી. અને એમાંના કેટલાક તો આપણને તાજુબ કરી મૂકે એવા ચિત્રવિચિત્ર છે. લેકનાં મન કેટલાં બધાં હચમચી ઊઠ્યાં છે એને તને ખ્યાલ આપવાને ખાતર હું એમને ઉલ્લેખ કરી રહ્યો છું; અને જેમને આપણે ભાગ્યે જ ક્રાંતિકારી કહી શકીએ એવા લેકે આ કટોકટીના નિવારણને અર્થે ક્રાંતિકારી દરખાસ્તો રજૂ કરી રહ્યા છે. જીનીવાની આંતરરાષ્ટ્રીય મજૂર કચેરીએ તાજેતરમાં બેકારીમાં તાત્કાલિક ઘટાડો કરવા માટે અઠવાડિયા દરમ્યાન મજૂરના કામના કલાકો ૪૮ કરી નાખવાની સીધી સાદી દરખાસ્ત કરી હતી. આમ કરવાથી બીજા લાખો મજૂરને કામ મળી રહે અને એટલા પ્રમાણમાં બેકારી ઘટવા પામત. મજૂરના બધા જ પ્રતિનિધિઓ એમાં સંમત થયા, પરંતુ બ્રિટિશ સરકારે એનો વિરોધ કર્યો અને જર્મની તથા જાપાનની સહાયથી એ દરખાસ્ત અભરાઈએ ચડાવી દેવડાવવામાં આવી. મહાયુદ્ધ પછીના આખાયે સમય દરમ્યાન આંતરરાષ્ટ્રીય મજૂર કચેરી અંગેનું ઈગ્લડનું વલણ હમેશાં પ્રત્યાઘાતી રહ્યું છે. એ કટેકટી અને મંદી જગવ્યાપી હતી અને એને ઉપાય પણ આંતરરાષ્ટ્રીય અને જગતસ્પર્શ હવે જોઈએ એમ સૌ કોઈ સમજી શકે એમ છે. જુદા જુદા દેશોએ સહકારની કેઈક રીત શોધી કાઢવાના પ્રયાસો કર્યા છે, પરંતુ આજ સુધીમાં તે એ બધા પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. અને એના જગવ્યાપી ઉકેલની બાબતમાં નિરાશા મળવાથી દરેક દેશે આર્થિક રાષ્ટ્રવાદનો રાષ્ટ્રીય ઉપાય અખત્યાર કર્યો છે. એવી દલીલ કરવામાં આવી કે, જગતનો વેપાર જે ક્ષીણ થતું જતું હોય તે પછી આપણે આપણા દેશને વેપાર તે આપણે હસ્તક રાખે અને પરદેશી માલને દેશમાં આવતો અટકાવી દે. દેશ બહાર માલની નિકાસ કરવાનો વેપાર અનિશ્ચિત હોય છે અને તેમાં હમેશાં ફેરફાર થયા કરે છે એટલે દરેક દેશે પિતાનું સઘળું લક્ષ દેશની અંદરનાં બજારો ઉપર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો. પરદેશી માલ દેશમાં આવતા અટકાવવા માટે તેના ઉપર જકાત નાખવામાં આવી અથવા તે તે વધારવામાં આવી અને એ રીતે પરદેશી માલ અંદર આવતે અટકાવવામાં એ જકાતની દીવાલે ફતેહમંદ થઈ. એ જકાતે આંતરરાષ્ટ્રીય વેપારને હાનિ પહોંચાડવામાં પણ સફળ થઈ કેમ કે, દરેક દેશની જકાતે આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગમાં અંતરાયરૂપ હતી. યુરોપ, અમેરિકા અને થોડેઘણે અંશે એશિયામાં સર્વત્ર જકાતની ઊંચી ઊંચી દીવાલે ઊભી થઈ ગઈ છે. જકાતનું
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy