SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ હિદ પર અંગ્રેજોનું શાસન ૭૩૫ ગયું અને તેઓ નિરંતર એકબીજાની સ્તુતિ કરવા લાગ્યા. નિરંકુશ સત્તા અને અધિકારનું અનિવાર્ય રીતે આ જ પરિણામ આવે છે. આઈ. સી. એસ. અમલદારો લગભગ હિંદના સ્વામી બની ગયા. બ્રિટિશ પાર્લામેન્ટ એટલી બધી દૂર હતી કે તે કશી દખલ કરી શકે એમ નહોતું; વળી એને વચ્ચે પડવાને પ્રસંગ આવતો જ નહિ કેમકે, આ અમલદારે તેનું તથા બ્રિટિશ ઉદ્યોગોનું હિત બરાબર સાચવતા હતા. હિંદની પ્રજાનું હિત કરવાની બાબતમાં તે તેમના ઉપર સંગીન અસર કરવાને કઈ ઉપાય નહોતું. તેઓ એટલા બધા અસહિષણ હતા કે, તેમનાં કાર્યોની જરા સરખી ટીકાથી પણ તેઓ છંછેડાઈ પડતા. અને આમ છતાંયે હિંદી સનંદી નોકરીમાં ઘણા પ્રમાણિક, ભલા અને કાર્યકુશળ માણસો હતા. પણ જેમાં હિંદુસ્તાન ખેંચાતું હતું તે રાજનીતિના પ્રવાહને તેઓ બદલી કે પાછી વાળી શકે એમ નહોતું. આખરે તે આ સિવિલિયને જેમને હિંદના શેષણમાં સ્વાર્થ હોતે તે ઇંગ્લંડના આર્થિક અને ઔદ્યોગિક હિતેન આડતિયા હતા. હિંદની આ નોકરશાહી સરકાર પિતાના તેમ જ બ્રિટિશ ઉદ્યોગોના હિતની બાબતમાં કાર્યદક્ષ અને કુશળ બની. પરંતુ કેળવણી, ઈસ્પિતાલે, સફાઈ તથા પ્રજાને તંદુરસ્ત અને પ્રગતિશીલ બનાવનારી બીજી અનેક પ્રવૃત્તિઓની બાબતમાં દુર્લક્ષ દાખવવામાં આવ્યું. ઘણાં વરસો સુધી આ બાબતે વિષે વિચાર સરખો પણ કરવામાં ન આવ્યું. અસલની ગામઠી નિશાળો બંધ પડી ગઈ. ત્યાર પછી ધીરેઆતે અને કચવાતે મને એ દિશામાં કંઈક આરંભ થયો. પરંતુ કેળવણીની બાબતમાં થયેલી આ શરૂઆત પણ તેમની જરૂરિયાતને પહોંચી વળવાને ખાતર જ કરવામાં આવી હતી. મોટા-મોટા હેદ્દાઓ ઉપર તે અંગ્રેજો જ હતા પરંતુ નાના નાના હોદ્દાઓ અને કારકુનની જગ્યાઓ તે તેઓ પૂરી * શકે એમ નહતું એ સાવ સ્પષ્ટ છે. તેમને કારકુનોની જરૂર પડી અને એવા કારકુનો ઉત્પન્ન કરવા માટે જ અંગ્રેજોએ પ્રથમ શાળાઓ અને પછીથી કલેજે કાઢી હતી. એ સમયથી માંડીને આજ સુધી હિંદમાં કેળવણીને પ્રધાન હેતુ એ જ રહ્યો છે; અને એની મોટા ભાગની પેદાશ માત્ર કારકુન બનવાની જ યોગ્યતા ધરાવે છે. પરંતુ સરકારને તથા બીજી કચેરીઓને કારકુનોની જરૂર હતી તેના કરતાં તેમની સંખ્યા થડા જ વખતમાં વધી ગઈ. એટલે એમાંના ઘણું કામધંધા વિનાના રહ્યા અને તેમને કેળવાયેલા બેકારોને એક નવો વર્ગ પેદા થયો. આ નવી અંગ્રેજી કેળવણી લેવામાં બંગાળ પહેલ કરી અને તેથી કરીને શરૂઆતના કારકુન મોટે ભાગે બંગાળીઓ હતા. ૧૮૫૭ની સાલમાં મુંબઈ કલકત્તા અને મદ્રાસમાં ત્રણ નવી યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી. એક લક્ષમાં લેવા જેવી હકીકત એ છે કે મુસલમાનો આ નવી કેળવણી તરફ ઝાઝા
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy