SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદ પર અંગ્રેજોનું શાસન ૭ર૭ છે. આજે આપણું જોવામાં આવે છે તે આધુનિક હિંદનું સર્જને ૧૯મી સદીના આ વિષમ કસોટીના કાળ દરમ્યાન થયું હતું. જે આપણે આજના હિંદને સમજવું હોય તે એને ઘડનારાં તથા એની પ્રગતિ રૂંધનારાં બળને આપણે કંઈક પરિચય કરવો જોઈએ. તે જ આપણે એની બુદ્ધિપૂર્વક સેવા કરી શકીએ તથા આપણે શું કરવું જોઈએ અને કો માર્ગ ગ્રહણ કરવો જોઈએ એ જાણી શકીએ. હિંદના ઈતિહાસનું ધ્યાન મેં હજી પૂરું નથી કર્યું. એ વિષે મારે તને હજી ઘણું કહેવાનું છે. આ પત્રોમાં હું એનું એક યા વધારે અંગ લઉં છું અને એને વિષે તને કંઈક કહું છું. તને એ સમજવું સુગમ થઈ પડે એટલા ખાતર હું એ દરેક અંગનું અલગ અલગ ખ્યાન કરું છું. પરંતુ તે જોશે કે જેને વિષે હું તને કહી ગયે છું અને જેનું હું આ પત્રમાં તથા એ પછી નિરૂપણ કરવાને છું તે બધી પ્રવૃત્તિઓ અને ફેરફાર લગભગ એક વખતે થવા પામ્યાં હતાં તથા તેમણે એકબીજા ઉપર અસર કરી હતી અને એ રીતે તેમણે ૧૯મી સદીના હિંદનું સર્જન કર્યું હતું. હિંદમાંના અંગ્રેજોનાં આ કૃત્ય અને કરતૂકે વિષે વાંચતાં તથા તેમણે અખત્યાર કરેલી નીતિ અને તેને પરિણામે દેશભરમાં વ્યાપેલી ભારે હાડમારી અને વિપતે જાણીને તું ક્રોધે ભરાશે. પરંતુ એ બધું બનવા પામ્યું એમાં દેષ કોને હવે વાર ? એ બધું આપણી નબળાઈઓ અને અજ્ઞાનને આભારી નહતું કે? નબળાઈ અને બેવકૂફી હમેશાં આપખુદીને નોતરે છે. આપણી માંહોમાંહેની ફાટફૂટનો લાભ અંગ્રેજો ઉઠાવી શકે એમાં આપણે અંદર અંદર લડાઈટો કરનારાઓનો દેષ છે. જુદા જુદા પક્ષોના સ્વાર્થને લાભ ઉઠાવી, આપણામાં ફાટફૂટ પાડી જે તેઓ આપણને કમજોર બનાવી શકે તે આપણે તેમને એમ કરવા દઈએ છીએ એ વસ્તુ જ અંગ્રેજે આપણા કરતાં ચડિયાતા છે એની નિશાની છે. એટલે જો તારે ગુસ્સો કરવો જ હોય તે આપણું નબળાઈએ, આપણું અજ્ઞાન અને આપણું માંહોમાંહેના ઝઘડા ઉપર ગુસ્સો કરે જોઈએ; કેમકે એ જ વસ્તુઓ આપણી દુર્દશા અને આપણું સંકટ માટે જવાબદાર છે. આપણે અંગ્રેજોના જુલમી શાસનની વાત કરીએ છીએ. પરંતુ આખરે એ જુલમ કેણ કરે છે? એને ફાયદો કોણ ઉઠાવે છે ? સમગ્ર બ્રિટિશ પ્રજા એને લાભ ઉઠાવતી નથી. કેમકે લાખ્ખો અંગ્રેજો પિતે પણ દુઃખી અને પીડિત છે. વળી બ્રિટિશરોના હિંદના શોષણમાંથી કેટલાક હિંદીઓએ પણ થે લાભ મેળવ્યું છે એમાં શક નથી. તે પછી આપણે એની સીમા કયાં આગળ બાંધીએ? એને માટે વ્યક્તિઓ નહિ પણ પ્રથા અથવા પદ્ધતિ જવાબદાર છે. હિંદની અગણિત જનતાને શેષતા અને પીસી રહેલા એક
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy