SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ આધુનિક અમસ્તાન ૧૨૦૧ પશ્ચિમમાં યમન આવેલું છે, એને રામનાના સમયથી અરેબિયા ફેલિકસ ’ એટલે કે ભાગ્યશાળી અરબસ્તાન તરીકે ઓળખવામાં આવતું હતું, કેમ કે બાકીના અરબસ્તાનને જે વેરાન રણ છે — મુકાબલે તે અતિશય ફળદ્રુપ હતું. એથી એ પ્રદેશમાં ગીચ વસતી હેય એ આપણે સમજી શકીએ છીએ. અરબસ્તાનની છેક દક્ષિણ-પશ્ચિમ અણી ઉપર એડન આવેલું છે. એ બ્રિટનના તાબામાં છે. પૂર્વથી પશ્ચિમ તરફ આવતાંજતાં વહાણાને વિસામે લેવા માટેનું એ બંદર છે. - મહાયુદ્ધ પહેલાં લગભગ આખા દેશ તુર્કીના અંકુશ નીચે હતા અથવા કહે કે તુર્કીનું આધિપત્ય તે માન્ય રાખતો હતો. પરંતુ નજદમાં અમીર ઇબ્ન સાઉદ ધીમે ધીમે સ્વતંત્ર શાસક બનતા જતા હતા તેમ જ નવા નવા પ્રદેશ જીતતા જીતતા તે ઈરાનના અખાત સુધી પ્રસરતો જતા હતો. મહાયુદ્ધ પહેલાંનાં વરસામાં આ બન્યું હતું. ઇબ્ન સાઉદ વહાખી નામના એક ઇસ્લામી સંપ્રદાયને વડા હતો. ૧૮મી સદીમાં અબ્દુલ વહાબ નામના એક પુરુષે એ પથ સ્થાપ્યા હતા. વાસ્તવમાં એ ખ્રિસ્તીઓની પ્યૂરીટન ચળવળને મળતી ઇસ્લામની સુધારણાની ચળવળ હતી. કબરો તેમ જ પવિત્ર પુરુષોના અવશેષોની પૂજાના રૂપમાં મુસ્લિમ જનતામાં સત-પૂજા તેમ જ બીજી અનેક વિધિએ પ્રચલિત થઈ હતી તેને વહાખી વિરાધ કરતા હતા. સ ંતાની પ્રતિમાઓ તથા અવશેષોની પૂજા કરનારા રોમન કૅથલિક સંપ્રદાયના લકાને યુરોપના પ્યૂરીટને મૂર્તિ પૂજકો કહેતા હતા તે જ રીતે વહાબીએ એ બધાંને ભુતપરસ્તી કહેતા હતા. આમ, રાજકીય હરીફાઈ ઉપરાંત, વહાબીઓ અને અરબસ્તાનના ખીજા સંપ્રદાયા વચ્ચે ધાર્મિ ક ઝઘડા પણ હતા. મહાયુદ્ધ દરમ્યાન અરબસ્તાન બ્રિટિશ કાવાદાવા તથા પ્રપ ંચોનું કેન્દ્ર બની ગયું અને જુદા જુદા આરબ સરદારોને આર્થિક મદદના રૂપમાં તથા લાંચ આપવામાં ઇંગ્લેંડ તથા હિંદનાં નાણાં મેાકલે હાથે વપરાયાં. તેમને તરેહ તરેહનાં વચને આપવામાં આવ્યાં તથા તુર્કી સામે બળવા કરવાને તેમને ઉશ્કેરવામાં આવ્યા. કેટલીક વાર તો એકખીજા સામે લડતા અને હરીફ સરદારોને નાણાંની મદદ આપવામાં આવતી હતી ! અંગ્રેજો મક્કાના શરીક હુસેન મારફતે આરાના બળવા કરાવવામાં સફળ થયા. હુસેનનું મહત્ત્વ એ હતું કે તે પેગંબર સાહેબને વશ જ હતા અને એ રીતે લેકામાં એને માટે ભારે માન હતું. અંગ્રેજોએ હુસેનને સંયુક્ત અરબસ્તાનનું રાજ્ય આપવાનું વચન આપ્યું હતું. ઇબ્ન સાદ વધારે ચતુર હતા. અંગ્રેજો પાસે તેણે પોતાને સ્વતંત્ર રાજા તરીકે માન્ય કરાવ્યેા તથા તેમની પાસેથી માસિક લગભગ સિત્તર હજાર રૂપિયાની રકમને સ્વીકાર કર્યાં અને બદલામાં તટસ્થ રહેવાનું તેમને વચન આપ્યું. આમ, જ્યારે .બીજા લડતા` હતા ત્યારે તેણે પોતાની સ્થિતિ
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy