SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન રાજકારણ એ રાજાઓ તેમ જ રાજદ્વારી પુરૂષોની રાજરમત નથી રહેતી. તેમને વ્યવહાર વાસ્તવિકતા સાથે હોય છે અને તેની પાછળ સંસ્કારરહિત મનુષ્યસ્વભાવ અને ભૂખ્યા લેકનાં ખાલી પેટ હોય છે. ૧૭૮થી ૧૭૯૪ સુધીનાં યુગપ્રવર્તક પાંચ વરસે દરમ્યાન આપણે ક્રાંસની ભૂખે મરતી જનતાને કાર્ય કરવાને કટિબદ્ધ થયેલી જોઈએ છીએ. તે જ પચા મવાળ રાજદ્વારી પુરુષોને સક્રિય પગલું ભરવાની ફરજ પાડે છે અને રાજાશાહી યૂડલ વ્યવસ્થા તથા ચર્ચના વિશેષ અધિકારી તેમની પાસે નાબૂદ કરાવે છે. તે જ ભીષણ “મિલેટીન ' (શિરચ્છેદ કરવાનું ભીષણ યંત્ર) દેવીની આરાધના કરે છે અને ભૂતકાળમાં જેમણે તેનું દમન કર્યું હતું તેમના પર તથા તેને હવે લાધેલી નવી સ્વતંત્રતા સામે કાવાદાવા અને કાવતરાં કરવાને જેમને વિષે તેને શક હતા તેમના પર કર વેર લે છે. આ ચીંથરેહાલ લેકે જ ઉચાડે પગે પિતાની ક્રાંતિને બચાવ કરવાને સમરાંગણ ઉપર ધસી જાય છે અને તેમની સામે એકત્ર થયેલાં આખા યુરોપનાં તાલીમબદ્ધ સૈન્યને હાંકી કાઢે છે. ક્રાંસની એ જનતા આશ્ચર્યકારક સિદ્ધિ પ્રાપ્ત કરે છે, પરંતુ અનેક વરસની ભયંકર તાણ અને સંઘર્ષને લીધે કાંતિની પોતાની તાકાત ટી જાય છે. પરિણામે તે પિતા તરફ જ વળે છે અને પિતાનાં સંતાનોને જ ખાવા માંડે છે. પછી પ્રતિક્રિાંતિ શરૂ થાય છે. તે ક્રાંતિને ગળી જાય છે, તથા જે આમ સમુદાય અથવા જનતાએ ભારે હામ ભીડીને અનેક યાતનાઓની બરદાસ્ત કરી હતી તેને વળી પાછી “ચડિયાતા’ ગણાતા વર્ગોના શાસન નીચે ધકેલે છે. એ જ પ્રતિક્રિાંતિમાંથી નેપલિયન પેદા થાય છે અને તે સરમુખત્યાર તથા સમ્રાટ બને છે. પરંતુ પ્રતિ-ક્રાંતિ કે નેપોલિયન બેમાંથી એકે જનતાને પિતાના પહેલાના સ્થાન ઉપર તે પાછી મોકલી શકે એમ નહતું. ક્રાંતિએ મેળવેલા પ્રધાન વિજયે તે કેઈથી ભૂંસાય એમ નહોતું. તેમ જ દલિત વર્ગોએ ઘેડા સમય માટે પણ પિતાની ધૂંસરી ફેંકી દીધી હતી તેનું ઉમળકાભર્યું સ્મરણ પણ કાંસની પ્રજા પાસેથી અરે, યુરોપની બીજી પ્રજાઓ પાસેથી પણ કોઈ ઝૂંટવી લઈ શકે એમ નહતું. " ક્રાંતિના આરંભના સમયમાં ત્યાં આગળ અનેક પક્ષ અને જૂથે પોતપોતાનું પ્રભુત્વ જમાવવા માટે લડી રહ્યાં હતાં. રાજાના પક્ષકારો ૧૬માં લૂઈને નિરંકુશ રાજા તરીકે જેમને તેમ રાખવાની નિષ્ફળ આશા સેવી રહ્યા હતા; નરમ દળના મવાળો નવું રાજબંધારણ ઘડવા
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy