SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન હેય તેવા ધર્મને પણ ટેકે આપવાની તેની ફરજ છે! મૅકિયાવેલી કહે છે કે, “મનુષ્યને તેમજ હેવાન તથા સિંહ અને શિયાળને ભાગ એક વખતે ભજવતાં રાજાને આવવું જોઈએ. વળી, તેનું અહિત થતું હોય તે તેણે પિતાનું વચન પાળવું જોઈએ નહિ . . . . હું તે આગળ જઈને એ પણ કહેવા માગું છું કે હમેશાં પ્રમાણિકતા રાખવી એ અત્યંત નુક્સાનકર્તા છે તથા પવિત્ર, વિધાસુ, સદાચારી અને દયાળુ હેવાને ડાળ હમેશાં રાખ્યા કરે એ ફાયદાકારક છે. સદ્ગણનો ઓળ રાખ્યા કરે એના જેવી ફાયદાકારક બીજી કોઈ ચીજ નથી.' આ કેટલું ખરાબ છે, નહિ વાર? એનો અર્થ તે એ કે રાજા એટલે વધારે બદમાશ હોય તેટલે તે વધારે સારે ગણાય! યુરોપના તે સમયના સામાન્ય રાજાઓનું માનસ આવું હોય તે પછી ત્યાં આગળ નિરંતર લડાઈટંટ થયા કર્યા એમાં કશું નવાઈ પામવા જેવું નથી. પણ એને માટે એટલા બધા દૂર જવાની શી જરૂર છે? સામ્રાજ્યવાદી રાજ્ય આજે પણ મૈયાવેલીના પુસ્તકના આદર્શ રાજાની જેમ જ વર્તે છે. સદ્ગણના આવરણ નીચે તેમનામાં લેભ, ઘાતકીપણું અને બદમાશી જ હોય છે– સભ્યતાના સુંવાળા નેજા નીચે હિંસક પશુઓને લેહિયાળે પ જ છુપાયેલું હોય છે.
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy