SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશુ પછીના પહેલા સહસ્રાબ્દના અત ૩૦૯ કરીને તે બળવાન થતું હતું અને રામના પોપની સત્તા પણ વધતી હતી. રોમન પોપ હવે પશ્ચિમ યુરોપના ચર્ચ યા ખ્રિસ્તી ધર્મ ત ંત્રને નિર્વિવાદ વડા બન્યા હતા. રામ કન્સ્ટાન્તિનેપલ તથા પૂના રોમન સામ્રાજ્યથી અલગ પડી ગયું હતું એ તો તને યાદ હશે. કૅન્સ્ટાન્ટિનેપલનું અલગ ચર્ચ યા ખ્રિસ્તી ધર્મતત્ર હજી ચાલુ હતું. જેમ રામનું ચર્ચ કૅથલિક ચર્ચના નામથી ઓળખાતું હતું તેમ આ પૂર્વનું ચ ડૉકસ ચર્ચીના નામથી એળખાતું હતું. રશિયાએ કૉન્સ્ટાન્ટિનોપલના આ શૅડૉકસ ચ પાસેથી ધર્મની દીક્ષા લીધી. કૉન્સ્ટાન્ટિનોપલના ગ્રીક લેાકે રામના પાપને માન્ય રાખતા નહોતા. પરંતુ જ્યારે તે દુશ્મનેોથી ઘેરાઈ ગયું અને ખાસ કરીને જ્યારે સેબ્રુક તુર્કાએ તેની હસ્તી ભયમાં મૂકી એને આફતને પ્રસંગે કૉન્સ્ટાન્ટિનોપલ પોતાનું ગુમાન તથા રામ પ્રત્યેનો તિરસ્કાર ભૂલી ગયું અને વિધર્મી મુસલમાનોની સામે મદદ કરવા માટે તેણે પાપને વિનંતી કરી. તે સમયે રામમાં એક મહાન પોપ અધિકાર ઉપર હતા. તેનું નામ હિલ્ડેબૅન્ડ હતું અને પાપ થયા પછી તે સાતમા ગ્રેગરી તરીકે મશહૂર થયો. વિ જન સમ્રાટ કૅનોસામાં એ જ હિલ્ડેબૅન્ડની આગળ ઉઘાડે પગે બરફમાં ચાલીને ખડા થયા હતા. 6. C તે સમયે યુરોપની ખ્રિસ્તી પ્રજાઓની કલ્પનાને એક બીજી ઘટનાએ પણ ઉશ્કેરી મૂકી હતી. કેટલાયે શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓ એમ માનતા હતા કે ઈશુ પછીનાં એક હજાર વરસ બાદ આ દુનિયાના એકાએક અંત આવી જવાના છે. મિલેનિયમ ' શબ્દનો અર્થ · એક હજાર વરસ ’ થાય છે. એ શબ્દ · મિલે ’ અને ‘અનસ' એવા બે લૅટિન શબ્દો ભેગા મળીને બન્યો છે. મિલેતા અ એક હજાર ' થાય છે અને ‘ અનસ ’એટલે વરસ. એ વખતે દુનિયાનો અંત આવશે એમ માનવામાં આવતું હતું એટલે ‘ મિલેનિયમ ' શબ્દના ‘ એકદમ પરવત ન થઈ ને વધારે સારી દુનિયા નિર્માણ થવી ' એવા અથ થવા લાગ્યો. મે તને આગળ જણાવ્યું છે કે તે સમયે યુરોપમાં ભારે દુ:ખ અને હાડમારી વતાં હતાં અને એ નજીક આવતા મિલેનિયમ 'ની એટલે કે શુભ પરિવર્તનની આશાએ હતાશ થઈ ગયેલા તથા થાકી ગયેલા ધણા લેાકાને આશ્વાસન આપ્યું. દુનિયાના અંત આવે તે સમયે . 6 પવિત્ર ભૂમિ ’માં હાજર રહેવાને ખાતર ઘણા લાકા તે પોતાની માલમિલકત વેચીને પૅલેસ્ટાઈન જવા માટે નીકળી પડ્યા.
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy