SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપના દેશે નિર્માણ થવા લાગે છે ર૭૭ અને ઈશ્વરના નામનો ઉપયોગ કરીને સત્તાધીશોએ ઘણી વાર બીજાઓને મૂરખ બનાવી પિતાની સત્તા વધારવાનો પ્રયાસ કર્યો છે. રાજા, સમ્રાટ અને વડે ધર્માધ્યક્ષ સામાન્ય માણસની નજરમાં અસ્પષ્ટ અને છાયાવત બની જાય છે – સામાન્ય જીવનથી તેઓ સાવ અળગા રહે છે અને લગભગ દેવતુલ્ય બની જાય છે. તેમને વિષની આ અગમ્યતાને કારણે લેકે, તેમનાથી ડરતા રહે છે. રાજદરબારના વૈવિધ્યપૂર્ણ શિષ્ટાચાર અને વિધિનિષેધે તથા મંદિરે કે દેવળના એટલા જ વૈવિધ્યપૂર્ણ વિધિઓની તુલના કરી જો. ઉભયમાં એકસરખું જ નમવાનું, પગે પડવાનું અને જમીન ઉપર આળોટવાનું હોય છે. બાળપણથી જ આપણને સત્તાની આ વિવિધ રીતે પૂજા કરવાનું શીખવવામાં આવે છે. પણ એ પ્રેમની નહિ પણ ભય પ્રેરિત સેવા છે. શાર્લમેન બગદાદના ખલીફ હારૂનલ રશીદને સમકાલીન હતા. તે તેની જોડે પત્રવ્યવહાર કરતે હતે. શાર્લમેને બંનેએ ભેગા મળીને પૂર્વના રોમન સામ્રાજ્ય તથા સ્પેનના સેરેસને જોડે લડવાની ખલીફાને દરખાસ્ત કરી હતી એ વાત લક્ષમાં રાખવા જેવી છે. આ સૂચનાનું કાંઈ પણ પરિણામ આવ્યું હોય એમ લાગતું નથી. પરંતુ રાજાઓ અને મુત્સદીઓના મનોવ્યાપાર ઉપર એ બીના ઠીક ઠીક પ્રકાશ પાડે છે. તું જરા કલ્પના તો કર કે, “પવિત્ર સામ્રાજ્યનો સમ્રાટ અને ખ્રિસ્તી જગતને વડો એક ખ્રિસ્તી અને બીજી આરબ સત્તા સામે બગદાદના ખલીફ સાથે મિત્રી બાંધે છે. સ્પેનના સેરેસન લેકેએ બગદાદના અભ્યાસી ખલીફને માન્ય રાખવાનો ઇન્કાર કર્યો હતે એ તને યાદ હશે. તેઓ સ્વતંત્ર થઈ ગયા હતા અને બગદાદને તેમની સામે વેર હતું. પરંતુ તેઓ એકબીજાથી એટલા બધા દૂર હતા કે તેમની વચ્ચે લડાઈ શક્ય નહોતી. વળી શાલમેન અને કોન્સ્ટાન્ટિનેપલ વચ્ચે પણ કંઈ મીઠે સંબંધ નહોતે. અહીં પણ અંતરને કારણે જ તેમની વચ્ચે દેખીતી લડાઈ થતી અટકી હતી. એ ગમે તેમ હોય, પણ એક ખ્રિસ્તી અને આરબ સત્તાએ બીજી ખ્રિસ્તી અને આરબ સત્તા સામે લડવા માટે એકબીજા સાથે એકત્ર થવું એવી દરખાસ્ત મૂકવામાં આવી હતી. એ રાજાઓના અંતરની ખરી નેમ બળ, સત્તા અને ધનદેલત મેળવવાની હતી. પરંતુ તેમના આવા હેતુઓને સામાન્ય રીતે ધર્મના બુરખાથી ઢાંકી દેવામાં આવતા. સર્વત્ર આમ બનતું રહ્યું છે. હિંદુસ્તાનમાં પણ આપણે જોયું કે મહમૂદ ધર્મના નામે અહીં
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy