SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પેનથી મગાલિયા સુધીની અરમાની વિજયસૂચ ૨૫૫ માંડીને મારાકોથી સુએઝ સુધીના આખા ઉત્તર આફ્રિકા ઉપર તથા ઈરાન, અરબસ્તાન, મધ્ય એશિયા અને છેક મંગોલિયાની સરહદ સુધી ફેલાઈ ગયું. સિધ સિવાયના હિંદુસ્તાન તેની બહાર હતા. યુરોપ ઉપર બે બાજુએથી આરના હુમલા થતા હતા. કોન્સ્ટાન્ટિનોપલ ઉપર સીધેસીધો હુમલો થતા હતા અને બીજો આફ્રિકામાં થઈ ને ફ્રાંસ ઉપર. દક્ષિણ ક્રાંસમાં આરોની સંખ્યા ઓછી હતી અને તેઓ પોતાના વતનથી ખૂબ દૂર હતા. અથી કરીને અરબસ્તાનમાંથી તેમને બહુ મદદ ન મળી શકી. કેમકે ત્યાંના લકા મધ્ય એશિયા જીતવામાં રાકાયેલા હતા. એમ છતાં પણ દક્ષિણ ફ્રાંસના આ આરએએ પશ્ચિમ યુરોપના લાકાને ભયભીત કરી મૂક્યા અને તેમને સામનો કરવા માટે જુદી જુદી જાતિ સંપ કરીને એકત્ર થઈ. આ સંગઠનના આગેવાન ચાલ્સ માટેલ હતા. છ૩૨ની સાલમાં ક્રાંસમાં ટ્સ આગળ તેણે આરબ લાકાને હરાવ્યા. આ હારથી યુરેાપ આરાના પજામાંથી ઊગરી ગયું. એક તિહાસકારે કહ્યું છે કે, ‘લગભગ પોતાના હાથમાં આવેલું જગદ્ વ્યાપી સામ્રાજ્ય આરબ લોકાએ ના રણક્ષેત્ર ઉપર ગુમાવ્યું. આરબ લોકો સૂની લડાઈમાં જીત્યા હેાત તો યુરોપને ઇતિહાસ તદ્દન જુદા જ હાત એમાં શંકા નથી. યુરોપમાં તેમને રોકનાર પછી ખીજું કાઈ હતું નહિ એટલે તેએ સીધા ફૅન્સ્ટાન્ટિનેપલ સુધી કૂચ કરી ગયા હાત અને પૂર્વના રામન સામ્રાજ્યને તેમજ માર્ગમાં આવતાં બીજા રાજ્યોના પણ તેમણે અંત આણ્યો હોત. ખ્રિસ્તી ધર્મને બદલે ઇસ્લામ યુરોપનો ધર્મ બન્યા હોત અને બીજા પણ અનેક પ્રકારના ફેરફારો ત્યાં થયા હાત. પરંતુ આ તો માત્ર કલ્પનાવિહાર છે. હકીકત એમ છે કે આરબ લોકાને ફ્રાંસમાં અટકાવવામાં આવ્યા. પરંતુ ઘણી સદીઓ સુધી તેઓ સ્પેનમાં રહ્યા અને ત્યાં તેમણે રાજ કર્યું. સ્પેનથી મગાલિયા સુધીના મુલક આરબ લેાકાએ જીતી લીધે અને રણમાં વસતા આ ગોપ લેા જબરદસ્ત સામ્રાજ્યના મગરૂર શાસક બન્યા. યુરેપના લકા તેમને ‘સૅરેસન' કહેતા. એ શબ્દ કદાચ ‘સહરા ’ અને ‘ નશીન ' ઉપરથી ઊતરી આવ્યા હોય એ સંભવિત છે. (સહરા એટલે રણુ અને નશીન એટલે વસનારા. ) પરંતુ થેાડા જ વખતમાં આ રણમાં વસનારા વૈભવવિલાસમાં પડી ગયા અને નગરવાસી બન્યા. તેમનાં નગરામાં આલેશાન મહાલાતા ઊભી થઈ. દૂર દૂરના દેશોમાં વિજય મેળવ્યા છતાં પણ તેમની આપસમાં એકબીજા
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy