SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ દક્ષિણ હિંદના અનેક રાજા, લડવૈયાએ અને એક મહાપુરુષ ૧૬ મે ૧૯૩૨ ૬૪૮ ની સાલમાં સમ્રાટ હર્ષ મરણ પામ્યા. પણ એના મરણ પહેલાં જ હિંદના વાયવ્ય ખૂણામાં બલુચિસ્તાનમાં એક નાનકડુ વાદળુ દેખાયું હતું. એ વાદળુ, પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ યુરોપમાં પ્રચંડ તાફાન શરૂ થયું હતું તેની આગાહી રૂપે હતું. અરબસ્તાનમાં એક નવા પેગમ્બર પેદા થયા હતા. તેનું નામ હજરત મહંમદ હતું. તેણે એક નવા જ ધર્મોને પ્રચાર કર્યાં હતા. તે ધર્મ ઇસ્લામના નામથી ઓળખાયા. આ નવા ધર્મના જુસ્સાથી પ્રવ્રુત્ત થઈ ને ભારે આત્મશ્રદ્ધાથી આરબ લોકો ખડાના એક છેડાથી ખીજા છેડા સુધી ફરી વળ્યા અને જ્યાં ગયા ત્યાં તેમણે વિજય પ્રાપ્ત કર્યાં. તેમનું એ કા અદ્ભૂત હતું. આ દુનિયામાં આવીને તેમાં ભારે ફેરફાર કરનાર આ નવા બળની આપણે એળખ કરવી જોઈ એ. પરંતુ એ વિષે વિચાર કરવા પહેલાં આપણે દક્ષિણ હિંદમાં જઈએ અને એ સમયે તેની હાલત કેવી હતી હતી તે જોઈ એ. હના સમયમાં મુસ્લિમ આરા બર્કાચસ્તાન સુધી આવી પહોંચ્યા હતા અને ત્યારપછી ઘેાડા જ વખતમાં તેમણે સિધનો કબજો લીધા. પરંતુ તે ત્યાં જ અટકી ગયા અને ખીજા ત્રણસો વરસ સુધી હિંદુ ઉપર મુસલમાનોએ ચડાઈ કરી નહિ. અને ત્રણસો વરસ પછી હિંદુ ઉપર જે ચડાઈ એ થઈ તે અરબ લકાની નહિ પણ મધ્ય એશિયાની જે કેટલીક જાતિઓ મુસલમાન થઈ હતી તેમની હતી. એટલે હવે આપણે દક્ષિણના પ્રદેશમાં જઈ એ. એના મધ્ય અને પશ્ચિમના ભાગમાં ચાલુક્ય રાજ્ય હતું. એમાં મોટે ભાગે મહારાષ્ટ્રને સમાવેશ થતો હતો. બદામી તેનું પાટનગર હતું. હ્યુએનત્સાંગે મહારાષ્ટ્રના લેાકેાની તથા તેમની હિંમતની ભારે પ્રશ ંસા કરી છે. તેમને વિષે તે કહે છે, ‘મહારાષ્ટ્રના લેાકેા લડાયક જુસ્સાવાળા અને સ્વાભિમાની છે.
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy