SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતા. ત્યાં તેમનું વિનયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું અને તેમના નવા ધર્માંતા પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. તેમણે મેટી સખ્યામાં લોકાને પોતાના ધર્માંના અનુયાયી બનાવ્યા. અનેક તડકીછાંયડી વેકીને તે સમયથી આજ સુધી તેમના વંશજો દક્ષિણ હિંદમાં વસતા રહ્યા છે. એમાંના ઘણા તા યુરોપમાં જે પથાનું આજે નામનિશાન પણ રહ્યુ નથી એવા પુરાણા ખ્રિસ્તી પથાના અનુયાયીઓ છે. આમાંના કેટલાક પંચેશનું મુખ્ય ધામ આજે એશિયા માઈનરમાં છે. રાજકીય દૃષ્ટિએ ખ્રિસ્તીધમ આજે સમ ધર્મ છે. કેમકે તે યુરોપની સમ પ્રજાના ધર્મ છે. અહિંસાના તથા પ્રચલિત સમાજવ્યવસ્થા સામે બંડ ઉઠાવવાનો ઉપદેશ કરતા બળવાખાર ઈશુના વિચાર કરતાં અને પછી તેના ઉપદેશના ઊંચે સાદે પોકાર કરનારા તેના આજના અનુયાયીઓની તેમની સામ્રાજ્યવાદી નીતિની, તેમનાં શસ્ત્રસર ંજામેાની અને તેમનાં યુદ્ધ અને લક્ષ્મી-પૂજાની તેની સાથે સરખામણી કરતાં આપણને વિચિત્ર લાગે છે. ઈશુનું · ગિરિ પ્રવચન ' અને યુરોપ તથા અમેરિકામાં પ્રચલિત આજના ખ્રિસ્તી ધર્મ — એ બંને વચ્ચે કેટલા ગજબ તફાવત છે ! એથી કરીને, ધણા લકા એમ માનવાને પ્રેરાય કે પશ્ચિમના દેશોના તેના કહેવાતા આજના ઘણાખરા અનુયાયીઓ કરતાં બાપુ — ગાંધીજી— શુિના ઉપદેશની ઘણા નજદીક છે તે તેમાં નવાઈ પામવા જેવું કશું નથી. k
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy