SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કે કથાનુયોગ સામાન્ય બુદ્ધિના માણસો પર બહુ લાભ કરે છે. બુદ્ધિબળનો વૈભવ ધારણ કરનારને પણ તે બહુ અસર કરે છે; કારણ કે થાકેલા મગજને તેથી વિશ્રાંતિ અને ટેકે મળે છે. આવી રીતે કથાનુયોગથી સર્વને એકસરખો લાભ મળે છે, તેથી તેનું ઉપયોગીપણું જેનગ્રંથકારે સારી રીતે અસલથી જ સ્વીકારતા આવ્યા છે. હેમચંદ્રાચાર્ય એક મહાન આચાર્ય થઈ ગયા છે. તેઓએ કુમારપાળ રાજાને બોધ આપી, જનધની બનાવી, આખા દેશમાં જનધર્મનો વિજયવાવટો ફરકાવ્યો છે અને તેઓને ઉપકાર એટલે બધે છે કે અત્યારે કોઈ પણ જેને તેઓનું નામ બહુ મગરૂબીથો લેશે. આ મહાન આચાર્યને કુમાર પાળ ભૂપાળે વિનંતિ કરી તે પરથી આ ગ્રંથ દશ પર્વ (વિભાગ)માં લખાયો એમ જણાય છે. આ સંબંધમાં તેઓ પોતે જ દશમા પર્વની પ્રશસ્તિમાં લખે છે કે-“ચેદો, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્ર, સિંધુ અને બીજા દુર્ગમ દેશને પિતાના ભજવીર્યની શકિતથી હરિની જેમ જીતનાર, પરમહંત, વિનયવાન ચૌલુકયના કુળમાં થયેલા કુમારપાળ રાજાએ એક વખતે તે (હેમચંદ્ર) સૂરિને નમીને કહ્યું કેસ્વામિન! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપનો આજ્ઞાથી નરકગતિના આયુષ્ય નાંનિમિત્તકારણ મૃગયા, ઘત, મદિરા વિગેરે દુર્ગણોને મારી પૃથ્વીમાંથી મેં નિષેધ કર્યો છે તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધું છે અને બધી પૃથ્વી અહંતના ચાવડે સુશોભિત કરી દીધી છે તો સાંપ્રતકાળમાં સંપ્રતિરાજા જેવો થયે છું. અગાઉ મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી વૃત્તિયુક્ત સાંગ વ્યાકરણ (સિદ્ધહૈમવ્યાકરણ) આપે રચેલું છે, મારે માટે નિર્મળ ગશાસ્ત્ર રચેલું છે અને લેકેને માટે દ્વયાશ્રયકાવ્ય, દાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ (અભિધાનચિંતામણિ વિગેરે કષ) પ્રમુખ બીજાં શાસ્ત્રો પણ રચેલા છે. હે સ્વામિન ! તમે સ્વયમેવ લોકો પર ઉપકાર કરવા માટે સજજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે-મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવા માટે સઠ શલાકા પુરુષનાં ચરિત્ર પ્રકાશ કરે.” કુમારપાળ રાજાના આવા આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યે ધર્મોપદેશ જેનું એક પ્રધાનફળ છે એવું આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત ". આવી રીતે કુમારપાળના આગ્રહથી લખાયેલો આ ગ્રંથ અત્યુત્તમ હોય તેમાં કાંઈ પણ નવાઈ નથી. કલિકાળસર્વજ્ઞનું બિરુદ ધારણ કરનાર મહાત્માનો લેખ અને કુમારપાળ જેવા પરમહંત રાજાના આગ્રહથી અને તેને બંધ થવાના ઉદેશથી લખાયેલો ગ્રંથ કાવ્યચમત્કૃતિનો અને કથાવિષયને નમૂનો બને એમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી. આ ગ્રંથની ખૂબીઓ તરફ ધ્યાન આપીએ તો તેમાં હેમચંદ્રાચાર્યની બુદ્ધિની વિશાળતા, વિસ્તૃત સ્મરણશક્તિ અને પ્રશંસનીય પૃથક્કરણ શક્તિ એ ખાસ ધ્યાન ખેંચનારા થઈ પડે છે. હેમચંદ્રાચાર્ય પિતે વ્યાકરણ, કેષ, કાવ્ય અને અલંકારના કર્તા હોવાથી તેઓમાં શબ્દોષ આવે કે તાણીતાડીને આશય લાવવાનો અફલિત પ્રયાસ કરવો પડે એવું તે સંભવિત જ નથી. આ ગ્રંથમાં એટલાં બધાં ચરિત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે વાંચનાર વિચારમાં પડી જાય છે. થાનોનાં વર્ણને અને લકરની વ્યુહરચના તથા સેનાના પ્રવાસનું વર્ણન અભૂત આપેલું છે. પ્રભુના કલ્યાણના મહોત્સવ, ચક્રીને દિગવિજય અને દેવકૃત સમવરસણની રચનાનું ચિત્તાકર્ષક વર્ણન વાંચતાં તે સમયે, તે સ્થાને, તે ચિત્ર હૃદય પર ખડું થાય છે અને જરા પણ લાગણીવાળા મનુષ્ય આપણા લેકે ચોથા આરાનું સુખ કહે છે તેને ક્ષણભર અનુભવ કરે છે. અત્ર તેનું વિશેષ વિવેચન ન કરતાં વાંચનારની કલ્પનાશક્તિ પર છોડી બીજી રીતે વિચારીએ તે દરેક પ્રભુની ઈન્ટે કરેલી સ્તુતિ અને દરેક પ્રભુની દેશના પર ખાસ ધ્યાન ખેંચાય છે. આ ગ્રંથના મૂળ દશ વિભાગ કરેલા છે અને તેને પર્વ એવો સંજ્ઞા આપેલી છે. તે દશ પર્વેમાં સૂરિએ એવી ખૂબી કરી દીધી છે કે તેથી સર્વ સિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદા જુદા પ્રભુની દેશનામાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકામાં બેધ તેમજ જ્ઞાનના સર્વ વિષયો એવી સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં સમાવ્યા છે કે કથાનુયોગનો ઊંચામાં ઊંચો લાભ આપવા સાથે બહુ ભારે બોધ આપી વાંચનારને પોતાની ફરજ તરફ જાગૃત કરી દીધા છે. આ પ્રસંગે એટલું લખવું વાસ્તવિક છે કે,
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy