SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સ` ૪ થા પશુ રૂદન આવ્યું. ‘શતાનિક રાજાએ તેને પૂછ્યું કે, ‘તું કેમ રૂએ છે ?' ત્યારે તે ક'ચુકી અશ્રુધાર સહિત ખેલ્યા કે, ‘મહારાજ! દધિવાહન રાજાની ધારિણી રાણીની આ પુત્રી છે. અહા ! તેવા ઉત્કૃષ્ટ વૈભવથી ભ્રષ્ટ થઇને માતાપિતા વગરની આ ખાળા બીજાને ઘેર દાસીવત્ રહે છે, તે જોઇને મને રૂદન આવે છે.’ રાજાએ કહ્યું કે, ‘હે ભદ્ર! આ કુમારી શેક કરવા ગ્ય નથી, કારણ કે તેણે ત્રણ જગતનુ રક્ષણ કરવામાં શૂરવીર એવા વીરપ્રભુને અભિગ્રહ પૂર્ણ કરીને પ્રતિલાભિત કર્યા છે.' તે વખતે મૃગાવતી એલી કે, અરે ! ધારિણી તેા મારે બહેન થાય છે, તેની આ દુહિતા છે, તેા તે મારી પણ દુહિતા છે. પછી છ માસમાં પાંચ દિવસ ઓછા રહેતાં તપનુ` પારણું કરીને તે ધનાવહ શેઠના ઘરમાંથી બહાર નીકળ્યા. ७० પ્રભુના ગયા પછી લાભની પ્રબળતાથી શતાનિક રાજાએ તે વસુધારાનું ધન લેવાની ઇચ્છા કરી; એટલે સૌધમ પતિએ શતાનિક રાજાને કહ્યું કે, હે રાજન! તમે આ રત્નવૃષ્ટિ લેવાની ઇચ્છા કરી છે, પણ આ દ્રવ્ય ઉપર તમારા સ્વામીભાવ નથી, તેથી આ કન્યા જેને આપે, તે આ દ્રવ્ય લઈ શકે.' રાજાએ ચંદનાને પૂછ્યું કે-ચંદના ! આ દ્રવ્ય કાણુ લે ?” ચંદના એલી કે, ‘આ ધનાવહ શેઠ ગ્રહણ કરે, કારણ કે તે મારૂં પાલન કરવાથી મારા પિતા છે.' પછી ધનાવહ શેઠે તે વસુધારાનુ દ્રવ્ય ગ્રહણ કર્યું.... પછી ઇંદ્રે ફરીવાર શતાનિક રાજાને કહ્યું કે, આ બાળા ચરમદેહી છે અને ભાગતૃણાથી વિમુખ છે, તેથી જ્યારે વીરપ્રભુને કેવળજ્ઞાન થશે ત્યારે તે તેમની પ્રથમ શિષ્યા થશે; માટે જ્યાં સુધી પ્રભુને કેવળજ્ઞાન ઉપજે, ત્યાં સુધી તમારે તેનું રક્ષણ કરવુ.' આ પ્રમાણે કહી પ્રભુને નમીને ઇંદ્ર દેવલાકમાં ગયા. રાજા શતાનિકે ચંદનાને પેાતાને ત્યાં લઈ જઈ કન્યા એના અંતઃપુરમાં રાખી. ચંદના પણ પ્રભુને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થવાનુ ધ્યાન કરતી છતી ત્યાં રહી. પેલી મૂલા શેઠાણી જે અનનુ' મૂળ હતી, તેને ધનાવહ શેઠે કાઢી મૂકી, તે દુર્ધ્યાન કરતી મૃત્યુ પામીને નરકે ગઈ. પ્રભુ ત્યાંથી વિહાર કરી પ્રાત:કાળે સુમગળ ગામે આવ્યા. ત્યાં સનકુમાર ઇંકે આવી પ્રભુને વંદના કરી. ત્યાંથી પ્રભુ સક્ષેત્ર નામના ગામે આવ્યા, ત્યાં માહેદ્ર કલ્પના ઈંદ્રે આવી ભક્તિથી પ્રણામ કર્યાં, ત્યાંથી પ્રભુ પાલક ગામે ગયા. ત્યાં ભાયલ નામે કેાઈ વણિક યાત્રા કરવા જતા હતા, તેણે પ્રભુને આવતા જોયા. એટલે ‘આ ભિક્ષુકના અપશુકન થયા માટે તેના મસ્તક પર ખડૂગના પ્રહાર કરૂં. આમ વિચારી ખડ્ગ ઉઘાડીને તે પ્રભુને મારવા દોડયો. તે વખતે સિદ્ધાર્થ વ્યતરે આવી તે ખગવડે તેનું જ મસ્તક છેદાવી નાખ્યું. પ્રભુ ત્યાંથી વિહાર કરતા ચપાનગરીએ આવ્યા. ત્યાં સ્વાદિદત્ત નામના કોઈ બ્રાહ્મણની અગ્નિહેાત્રની શાળામાં પ્રભુ ચારે માસના ઉપવાસ કરીને બારમુ' ચામાસુ` રહ્યા. ત્યાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે એ મહદ્ધિક યક્ષે દરરોજ રાત્રે આવીને પ્રભુની પૂજા કરતા હતા. તે જોઇ સ્વાદિદત્તે વિચાર્યું કે, ‘આ દેવાય શુ કાંઈ જાણતા હશે કે જેથી પ્રત્યેક રાત્રિએ તેમની પાસે આવીને દેવતાએ પૂજે છે.' આ પ્રમાણે ચિંતવી જિજ્ઞાસુ થઇને સ્વાદિદત્ત પ્રભુ પાસે આવ્યા અને પૂછ્યું' કે, ‘દેવાય ! શિર વિગેરે અંગથી પૂર્ણ એવા આ દેહમાં જીવ કયા કહેવાય !' પ્રભુ બેલ્યા કે, ‘દેહમાં રહ્યો છતા જે માઁ (હું) એમ માને છે તે જીવ છે.” સ્વાદિવ્રુત્ત કહ્યું, “તે શી રીતે સમજવા ?” ભગવંત ખેલ્યાહૈ દ્વિજ ! મસ્તક હાથ વિગેરે જે અવયવેા છે, તેનાથી તે જુદો છે અને સૂક્ષ્મ છે.' સ્વાદિરો પૂછ્યું કે, તે સૂક્ષ્મ છે પણ કયાં છે ? તે બરાબર સ્પષ્ટ કહી બતાવા.' પ્રભુ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy