SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. દશમા પર્વમાં શ્રી મહાવીરસ્વામી ભગવંતનું ચરિત્ર જ છે, પણ પ્રસંગોપાત શ્રેણિક, અભય કુમારાદિક અનેક મહાપુરુષોનાં ઘણાં વિસ્તારવાળા ચરિત્રો તેમાં આપેલાં છે. આ પર્વ બધા પ કરતાં મોટું છે અને શ્રી વીરભગવંતનું ચરિત્ર આટલા વિસ્તારથી બીજા કોઈ ગ્રંથમાં ઉપલબ્ધ નથી. આ પ્રમાણે દશ પર્વમાં મળી ૬૩ શલાકા પુરુષોનાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે. તેનું યંત્ર પણ આ પ્રસ્તાવનાની પ્રારંભમાં આપેલું છે. આ ત્રેસઠ મહાપુરુષો “શલાકા પુરુષ” એટલા માટે કહેવાય છે કે તેમના મોક્ષગમનનો ચોક્કસ નિર્ણય થયેલ છે. ચોવીશ તીર્થ કરો તો તદભવમોક્ષગામી હોય છે, ચક્રવર્તમાં જે તે ભવમાં ચારિત્ર ગ્રહણ કરે છે તે સ્વર્ગો અથવા મોક્ષે જાય છે અને જે સંસારમાં જ રહે છે તે નરકે જય છે. આ ચોવીશીમાં થયેલા ૧૨ ચક્રીમાંથી સુભૂમ ને બ્રહ્મદત્ત બે ચક્રી મહાપાપારંભ કરી નરકે ગયેલા છે, પણ તે આગામી ભવે અવશ્ય મોક્ષે જનારા છે. વાસુદેવને પ્રતિવાસુદેવ તે તે ભવમાં નરકે જ જાય છે, કારણ કે તે સંસારમાં બહુ ખુચેલા હોય છે ને સંસાર ત્યજી શકતા નથી; પણ આગામી ભવે તેઓ જરૂર મેક્ષે જનારાં છે. નવ બળદેવ ઉત્તમ છવો હોવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ માસે સ્નેહબંધન તૂટવાથી ચારિત્ર ગ્રહણ કરે છે અને સ્વર્ગો અથવા મેક્ષે જાય છે. સ્વર્ગે જનારા બળદેવો આગામી ભવે મોક્ષે જાય છે. શ્રી કાળસિત્તરી પ્રકરણમાં ૧૧ રૂદ્ર તથા ૯ નારદનો પણ સમાવેશ કરી ૮૩ની સંખ્યા કરેલી છે. દરેક ચોવીશીમાં ૧૧ રૂદ્ર થાય છે. આ વીશીમાં ૧૧ મા રૂદ્ર સત્યકી શ્રી મહાવીરસ્વામીના સમયમાં થયેલા છે, જે “શિવ'ના નામથી પ્રખ્યાતિ પામેલા છે અને દરેક વાસુદેવના સમયમાં એક નારદ થતા હોવાથી ૯ નારદ થાય છે. આ ગ્રંથમાં બતાવેલા ૬૩ શલાકાપુરુષોમાં જીવ ૫૯ અને સ્વરૂપ ૬૦ છે; એટલે કે શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી તથા અરનાથજી તે જ ભવમાં ચક્રવતીં પણ થયેલા હોવાથી તે ત્રણ બાદ કરતાં ૬૦ સ્વરૂપ (શરીર) થાય છે અને શ્રી મહાવીરસ્વામીનો જીવ જ પહેલા વાસુદેવ ત્રિપૃષ્ઠ તરીકે થયેલ હોવાથી કુલ ચાર બાદ કરતાં ૫૯ જીવ થાય છે. છ અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં હોવાથી તેના ભવ તે અનંતા થાય છે; પરંતુ જ્યારે તે સમકિત પામે છે ત્યારપછીના ભવ ગણત્રીમાં ગણાય છે. વધારેમાં વધારે અર્ધા પુગળપરાવતનની અંદર તો સમકિત પામ્યા પછી મોક્ષે જાય જ છે. તીર્થ કરના છ સમક્તિ પામ્યા પછી તેટલું ભવભ્રમણ કરતા નથી. એક મહાવીરસ્વામીનો જીવ ક્રેડક્રોડ સાગરોપમ ઉપરાંત સમકિત પામ્યા પછી સંસારમાં રહ્યો છે, બીજા તીર્થકરના જીવો તો બહુ થોડા કાળમાં થોડા ભવમાં સમકિત પામ્યા પછી મેક્ષે ગયા છે. આ ચરિત્રગ્રંથમાં દરેક પ્રભુ સમકિત પામ્યા તે ભવથી પ્રારંબીને તેમનાં ચરિત્ર વર્ણવેલાં છે જેમકે શ્રી ઋષભદેવ પ્રભુ તેરમા ભવે ધનસાર્થવાહના ભવમાં સમકિત પામ્યા ત્યારથી તેમનું ચરિત્ર વર્ણવેલ છે. દરેક તીર્થંકરનામકર્મ ત્રીજા ભવે જ બાંધે છે ( નિકાચીત કરે છેઅને તે વીશ સ્થાનક પૌકી એક અથવા વધારે યાવત વિશે સ્થાનકોના આરાધનથી બંધાય છે. એ વિશ સ્થાનકેનું વર્ણન પહેલા સમાં છેવટના ભાગમાં આપેલું છે. આ ગ્રંથ મહાકાવ્ય હોવાથી તેમાં મહાકાવ્યના લક્ષણ પ્રમાણે દરેક બાબત સમાયેલી છે. એ તુનું વર્ણન, નાયક નાયિકાના રૂપ વિગેરેનું વર્ણન, દેશ નગરાદિનું વર્ણન, યુદ્ધનું વર્ણન વિગેરે દરેક પર્વમાં પૃથ પૃથફ પ્રસંગે સમાવેલ છે. આ ગ્રંથના સંબંધમાં જેટલું લખીએ તેટલું થોડું છે, કારણ કે કર્તાપુરુષ મહાવિદ્વાનું અને દરેક વિષયમાં પરિપૂર્ણ તેમજ વ્યાકરણાદિના આદ્યકર્તા જેવા હોવાથી આ ગ્રંથમાં કોઈ વાત બાકી રાખેલી નથી. આ આખા ગ્રંથમાંથી પ્રભુની સ્તુતિઓ અને પ્રભુએ આપેલી દેશનાઓનો જુદો સંગ્રહ કરવામાં આવે તો તેની અંદર જિનપ્રવચનની સર્વ બાબતો સમાઈ જાય તેમ છે
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy