SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિએ સ્તુતિ ન હોતાં ભગવાન મહાવીરના આભિધાનિક પર્યાયો અને તેની સમજૂતીઓના સમૂહરૂપે છે. રચના ઠીક ઠીક જૂની છે, પણ પ્રમાણમાં સાધારણ કોટીની અને શુષ્ક છે. કોઈ તેને કંઠસ્થ કરતું નથી, તેમ જ તેનું ખાસ પ્રચલન કે વિશેષ પ્રતિષ્ઠા ન હોવાથી અહીં તેને છોડી દીધી છે. એ જ પ્રમાણે “પંચપરમેષ્ઠિ નમસ્કાર” (તેમ જ “ચત્તારિમંગલ-સ્તવ”) તો સ્તોત્ર નહીં પણ કેવલ અછાંદસ મંગલ વર્ગના હોઈ પ્રથમ કૃતિના નિશ્ચિત થઈ શકતા અસલી અર્ધમાગધી પાઠ અને તેના પ્રથમના બે ચરણ માટે પ્રાચીનતમ નિર્પ્રન્થ અભિલેખો અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, આવશ્યકચૂર્યાદિ અનુસાર અહીં આખરી વિભાગમાં આપેલ સ્તુતિ-સ્તવ-સ્તોત્રાદિના મૂલપાઠના સંગ્રહના પ્રારંભે એક પૃષ્ઠ પર મંગલસ્થાને મૂક્યાં છે. (આ) મહારાષ્ટ્રી પ્રાકૃત સ્તુતિ-સ્તવ સ્તોત્રો (૧) નાગેન્દ્રકુલીન વિમલસૂરિના પઉમચરિય અંતર્ગત આદિ મંગલરૂપેણ “ચતુર્વિંશતિ જિન સ્તુતિ” (૨) પઉમચરિય અંતર્ગત રાવણભાષિત “અષ્ટાપદસ્થ ચતુર્વિંશતિ જિનસ્તુતિ” (૩) નંદિષેણ મુનિ કૃત અજિતશાંતિસ્તવ (૪) તીર્થાવકાલિક-પ્રકીર્ણક અંતર્ગત “મંગલ-વિશેષક’' (૫) તિલોયપણત્તી અંતર્ગત શ્રી પંચપરમેષ્ઠિસ્તુતિ રૂપેણ આદિમંગલ (૬) માનતુંગાચાર્ય પ્રણીત ભયહરસ્તોત્ર (૭) દ્વિતીય પાદલિપ્તસૂરિકૃત વીરસ્તુતિ (૮) હરિભદ્રસૂરિષ્કૃત ત્રૈલોક્યજિનવંદનસ્તવ (૯) હરિભદ્રસૂરિકૃત ધૂમાવલી-પ્રકરણ (૧૦) ઉદ્યોતનસૂરિષ્કૃત કુવલયમાલા અંતર્ગત ‘વિશેષક' રૂપેણ સ્તુતિ (૧૧) કૃષ્ણર્ષિગચ્છીય જયસિંહસૂરિ કૃત ધર્મોપદેશમાલાવિવરણ અંતર્ગત “જિન અરિષ્ટનેમિ-સ્તુતિ” (૧૨) ધર્મોપદેશમાલાવિવરણ અંતર્ગત “શ્રીચતુર્વિંશતિજિનસ્તુતિ” (૧૩) નિવૃતિકુલીન શીલાચાર્યકારિત ચઉપશમહાપુરિસચરિય અંતર્ગત ભરતભાષિત “ઋષભજિનસ્તુતિ” (૧૪) ચઉપન્નમહાપુરિસચરિય અંતર્ગત “અરિષ્ટનેમિસ્તુતિ” (૧૫) ચઉપન્નમહાપુરિસચરિય અંતર્ગત નેમિનિર્વાણ પ્રસંગે દેવગણકથિત “અરિષ્ટનેમિસ્તુતિ” ૬૦
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy