SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણું ૧૨ બુદ્ધિપ્રકાશ વ્હેમ અને અજ્ઞાનનો, નિશ્ચય કરવા નારા; વિદ્યાની વૃદ્ધિ થવા, પ્રકટે બુદ્ધિપ્રકાશ, ” ( બુદ્ધિપ્રકાશ, સન ૧૮૯૯. ) સામયિક પત્રાની કારકિર્દીમાં, મનુષ્ય જીવનમાં અને છે તેમ, એક અને તેની સુવાસ સમય એવો આવે છે, કે જ્યારે તે પૂર બહારમાં ખીલે સત્ર પ્રસરી રહી અને આહ્લાદક નિવડી, સારી નામના અને ખ્યાતિ પ્રાપ્ત કરે છે; પણ તેના આધાર મુખ્યત્વે તેના સંચાલક—ત ંત્રીના વ્યક્તિત્વ પર અવલ એ છે. 66 .. ગુજરાત શાળાપત્ર મૈં નવલરામે સાહિત્ય '' તે અલારખીઆ * પ્રતિષ્ઠા મણિલાલે જમાવી; · વીસમી સદી ” ની સિદ્ધિ અને લોકપ્રિયતા હાજી મહમદ મેળવી શકયા; “ ગુજરાતી ” તે ગારવવંતુ ઈચ્છારામે કર્યું; તેમ “ બુદ્ધિપ્રકાશ ની કીર્તિ કવિ દલપતરામે વધારી હતી, અને એમને સ ંદેશેશ ઝીલવા ગુજરાતી જનતા તે કાળે ચાતકની પેઠે ઉત્સુક રહેતી હતી. એ વ્યક્તિ દૂર જતાં, ‘ બુદ્ધિપ્રકાશ' નું તેજ પણ ઝાંખું પડયું એમ ઘણાખરાને જણાયું હતું. જેવી રીતે ડબ્લ્યુ ટી સ્ટેડને સ્વર્ગવાસ થતાં, સુપ્રસિદ્ધ ઈંગ્રેજ માસિક (6 ,, રિવ્યુ ઍક્ રિવ્યુઝ ” તેનું વજન અને પ્રતિષ્ટા ફરી મેળવી શકયું નથી, મેસિંગહામ જતાં તેનું અડવાડિક પત્ર “ નેશન ” નું નૂર હણાઈ ગયું છે, તેવી શોચનીય સ્થિતિ કવિ દલપતરામ સાસાઇટીની સેવામાંથી નિવૃત્ત થતાં, " બુદ્ધિપ્રકાશ ' ની થઇ પડી હતી. ખિલવ્યું; સુદર્શન ” ની નટુભાઇએ યશસ્વી કર્યું; (C "C 29 એ સ્થિતિમાં સુધારા કરવા કમિટી તરફથી બુદ્ધિપ્રકાશનું સંપાદન કાય જાણીતા વિદ્વાન શ્રીયુત ઝવેરીલાલ ઉમિયાશ`કર યાજ્ઞિકને સાંપવા તજવીજ થઈ હતી; પણ તેમણે તે સ્વીકારવા નાખુશી દર્શાવી, એટલે બુદ્ધિપ્રકાશમાં કયા લેખા લેવા તેને નિર્ણય કરવા, તે પછી, એક બુદ્ધિપ્રકાશ કમિટી નિમાઈ હતી. તે વખતેવખત મળને બુદ્ધિપ્રકાશમાં દાખલ કરવાના લેખાની પસંદગી કરતી તેમ યેાગ્ય અને ઉત્તેજનપાત્ર જણાય તેવા લેખા માટે ઇનામની રકમ ધરાવતી હતી.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy