SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચય વિષે સંદેહ હેવાથી તથા બીજા સુધારાવાળા થડા અને તે થોડા જૂદી જૂદી નાતના હોવાથી તેમની મદદની આશા રાખી શકાય નહિ, આવા વિચારથી મારું મન ડોલવા લાગ્યું. એ વેળા મને હિમ્મત આપનાર અને મારું મન દઢ રાખનાર મારા સગાં સંબંધીઓમાં આ મારી પ્રાણપ્રિય ભાર્યા માત્ર હતી. સુરતમાં અને મુંબઇમાં તેને ડગાવવાને પ્રયત્ન જેણે જેણે કર્યો તે વ્યર્થ ગયો.” પ્રસ્તુત ચિત્રની પૂતિ રૂપે એ જ પરદેશ ગમનના વિષય પર એક હાસ્ય જનક પ્રસંગ શ્રીયુત નરસિંહરાવે વર્ણવ્યો છે, તે આ ચિત્રની વાર્તા : વિકતા લક્ષમાં આવવા અમે નોંધીએ છીએ – વડોદરામાં એક પ્રસંગે મહીપતરામ મહારા વડીલ બધુ ભીમરાવને ઘેર પહરૂણુ હતા; સાંઝે ઘરના ઓટલા ઉપર ભીમરાવ, મહીપતરામ અને બીજા એક બે મિત્રો બેઠા હતા; પિલા જુનાગઢી ગૃહસ્થ પણ હતા. એઓને ભીમરાવે મહીપતરામનું ઓળખાણ કરાવ્યું, તરત જ એ ગૃહસ્થ બેલી ઊયાઃ “આ મહીપતરામ કે ? આપણ નાત્યમાં ઘોળ ઘાલ્યું હતું તેજ આ મહીપતરામ ? એ શંકરભાઈ ! આમ આવો, મહીપતરામ જેવા હોય તે."* અમદાવાદનું એમનું મિત્ર મંડળ અને સરદાર ભોળાનાથભાઈએ મહીપતરામની પડખે ઉભા રહી એમનાં એ પ્રવાસના કાર્યને ઉત્તેજન આપ્યું હતું અને કવિ દલપતરામે એ પ્રસંગ વિષે કવિતા રચી, ગાયું હતું કે, “ નાગર સાગર મારગે, મહા મુસાકરિ કામ; તેમાં હિંમત તે ઘણું રાખી મહિપતરામ. ગણલા ગવાશે ગીતમાં ગુણ તુજ ગામે ગામ; રાજેશ્રીની રીત તે રાખી મહિપતરામ. બકે છકે તે છે કે તુચ્છ આકલની ટેવ; જતાં હશે તેમજ જશે નીર નેરનાં નેવ. સમાધાન સગર્ણ થશે નકી થશે નીરાંત, વાત થાશે વાંચવા દેવાશે દષ્ટાંત.” $ જુઓ “પાર્વતીકુંવર આખ્યાન” પૃ. ૧૩-૧પ. *સ્મરણ મુકર, પૃ. ૩૬. નડિયાદથી તે પહેલા એક પાટીદાર બંધુ અચલા પણ તેમને જ્ઞાતિ તરફથી મહીપતરામ જેવી વિટંબણા વેઠવી પડેલી નહિ
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy