SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ - એ તો છ નમુના બતાવ્યા છે, પણ તેઓએ પદ તે ઘણું ગાયો છે. વળી એ સિવાય બીજા પુરૂષોત્તમજી, દ્વારકેશજી, વિષ્ણુ દાસજી, હરિદાસજી, વ્રજભૂખણજી, ભગવાનદાસજી, ચત્રભુજદાસ, છીતસ્વામીજી, માણેકચંદજી, રંગીલદાસજી, વ્યાસદાસજી, પદમાનંદ દાસજી, કુમનદાસજી, ગોવિંદદાસજી, અને રામદાસજી, વગેરે ઘણા કવિઓએ એમને ભગવાન તરીકે ગાયા છે, તેનું કેમ? . ઉત્તર–ભાઈ કવિઓએ લખેલું છે એટલે ખરૂં છે એમ જે માનવું તે ગ્ય નથી બુદ્ધિમાને તો અવશ્ય પરીક્ષા કરીને માનવું અથવા છેડવું જોઈએ. એમ તો વામમાર્ગમાં સ્ત્રીના ગુહ્ય સ્થળને ભગવાનવત્ પૂજાવ્યું છે તે કવિઓએ કે કોઈ બીજાએ ? અનેક ચીજોને પિતાનાં ઉદર નિમિત્ત ખાતર વા અજ્ઞાનથી કવિઓએ પરમેશ્વર બનાવ્યા છે નિમિત્તે ૧૬ શ્રત વૈશ:” એ કહેવત પ્રમાણે ચાલનારા પણ કવિઓ ઘણું થઈ ગયા છે. એક કાળ એવો હતો કવિરાજ દરબાર શોભાવનારજ હતા. વિચાર કરી જાશો તે જણાશે કે કેટલીક વખતે કોઈ સાધારણ માણસ હોય, તેને પણ કવિઓ પિતાને પૈસો મળવાની લાલચે રાજા કરતાં સરસ વખાણું નાખે છે. અને કોઈ સાધારણ રાજા પાસેથી પૈસો લેવો હોય, તો તેને ઈન્દ્ર, કુબેર અથવા વિષ્ણુની ઉપમા આપે છે. એ વિષે એક સંસ્કૃત ગ્રંથમાં લખ્યું છે કે, જવા દં ર શનિ, જિં જ મયંતિ હવે કવિઓ આવા પ્રકારની વિવિધ કવિતાઓ લખે તે પરથી પરમાત્માપદ એક મનુષ્યને અપી શકાય નહિ. કવિઓ નાના પ્રકારના રસાલંકાર ઉપજાવી કાઢી નવી નવી કથા બનાવતા. વામમાર્ગમાં સ્ત્રીનાં ગુહ્ય સ્થળને ભગવાનવત્ પૂજવાનું પણ એવા કવિઓની જ ચાતુરીનું પરિણામ છે. વસ્તુતઃ કવિઓ રાજદરબાર શોભાવતા ગીતે, કવિતા કરી એક સામાન્ય માણસને પણ ઈન્દ્ર, કુબેર કે વિષ્ણુની ઉપમા આપે, એવા પણ કવિ હતા. વળી જનસમાજની અજ્ઞાનતા અહીં નડે છે. લોક ખુશામદને ચાહે છે, તેમજ લોક ખુશામદ કરે પણ છે. બેટી સ્તુતિ, બેટી મહત્વતા, બેટી ઉપમામાં રચ્યાપચ્યા રહે અને અજ્ઞાન અને બુદ્ધિપૂર્વક વિચાર વગરની અંધશ્રદ્ધા હોય ત્યાં
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy