SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અર્થાત ચતુરાઇ પ્રાપ્ત થવાના પાંચ સાધને છે (૧) દેશાટન (૨) પંડિતાની મિત્રાચારી (૩) નીતિમાનજનાની સભામાં જવુ (૪) રાજ્યસભામાં બેસવું અને અનેક શાસ્ત્રાનુ' અવલેાકન કરવુ'. હવે આ પાંચ પ્રકાર મેળવવાને શ્રી વલ્લભને સાધન મળ્યુ. તેથી દેશાટન કરી પેાતાનેા વખત ચતુરાઇ પ્રાપ્ત કરવામાં રાકવા લાગ્યા. આમ છતાંયે તે એક ભટકતા બ્રાહ્મણની અવસ્થામાં હતા. આવી રીતે બહુ વર્ષોં તેણે વીતાડયાં. હેમનીજ વાર્તામાં લખ્યા પ્રમાણે શ્રી પ`ઢરપુર પણ એ ગયા હતા. ત્યાં એ ન્યાતની હાર થયલા છે એ કારણે કદાચ મદિરમાં આવવા દીધા ન હેાય એટલે એણે નદીને સામેપાર મૂકામ કર્યાં હતા. હજી ત્યાં ત્યેની બેઠક છે. વળી એવી વાત અડાવી દીધી છે કે વિઠ્ઠલનાથજી નદીપાર શ્રી મહાપ્રભુજીને મળવા ગયા ત્યાં સારી રીતે મળીને બેઠક સ્થાપિ છે. જ્યારે સત્ય વાત તા જો વિસ્મૃતિ ન થતી હોય તે એ છે જે ઘણા વર્ષો સુધી તેમના વંશજોને વિઠ્ઠલનાથમાં આવવા દેતા નહીં. પણ ભાટિયા વગેરે વૈષ્ણવા આ ધમ પાશમાં પડયા પછી તેની સમૃદ્ધિ વધતાં વિઠ્ઠલનાથવાળા લક્ષ્મીના અંજને અજાયા હશે અગર આકર્ષાય હશે એટલે આવવા દીધા હતા, ધનને આ પ્રભાવ આવે પ્રસગે સામાન્ય છે. શ્રી વલ્લભ સ્વામિના સન્યાસ, નિજવાર્તાદિ પુસ્તક પરથી જણાય છે કે તે શ્રી જગન્નાથજી વગેરે ધણે સ્થળે ગયા હતા. બાર તેર વર્ષ સુધીતેા એને! આ ભ્રમણ કાળ હતો. તે બાદ પટન કરતે કરતે એક શહેરમાં એવું જવુ થયું'. હેતુ' નામ પ્રગટ વાર્તામાં છે, ત્યાં વિષ્ણુ સ્વામિની મેટી ગાદી હતી. ત્યાંના મહંતને મળ્યા. સભાષા કરતાં આ માણસ હાંશિયાર તે ચતુર લાગ્યા. મહતને પેાતાની પાછળ ગાદી ચલાવે એવા શિષ્યની જરૂર હતી. એણે વલ્લભતે યાગ્ય ધાર્યો. બધા સૂતાં પછી એને જગાડી મહ ંતે વલ્લભને પેાતાને વિચાર જણાવ્યું. વલ્લભ ભટકતા હતા હેને સેકડેા સેવકૈા મળે તે ગાદી મળે એટલે એને આનંદ થયા. પીડા માત્ર એટલી હતી કે સૌંન્યાસી થવાનુ` હતુ`.
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy