SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે એઓએ દેશ, કાળ, સમયભેદનું કે કોઈપણ જાતનું અંતર ધ્યાનમાં રાખ્યા સિવાય સૃષ્ટિક્રમ વિરૂદ્ધ મરજીમાં આવે તેમ તાલમેલ લગાવી લખી માયું છે. આ પ્રમાણે એ લોકોના પુસ્તકમાં સ્વાર્થ સાધવા માટે સૃષ્ટિક્રમ વિરૂદ્ધની ઠેકાણું વગરની અનેક વાતો ભોળાને ભમાવવા અને અંધ શ્રદ્ધાળુને અજ્ઞાની બનાવવા લખવામાં આવેલી છે. આ માર્ગમાંથી કુટેલા ફાંટા, સંપ્રદાયના શરૂઆતના કાળમાં કુટુમ્બ કલેશ કે અતિશય સ્વાર્થને કારણે એ માર્ગમાં કેટલાક ફાંટાઓ પણ પડયા હતા. તે સંબધી થોડી વિગત લખીશું. ૧ એ માર્ગના મૂળ પુરૂષ વલ્લભાચાર્યજી અથવા આચાર્યજી મહાપ્રભુજી તે સ્થાપક છે. માર્ગનું નામ પુષ્ટિમાર્ગ રાખ્યું એટલે એમાં વેદશાસ્ત્રની, વર્ણાશ્રમની, કે લેકવ્યવહારની કોઈ પણ જરૂર નથી. મૃત્યુ બાદ ગેલેક પ્રાપ્તિ માને છે. આ સર્વને છેલ્લે છેલ્લે ત્યાગ કરી પિતે દંડી સંન્યાસી થયા. વર્ણાશ્રમ સાથે પુષ્ટિમાર્ગને હાડવેર છે. વિદ્વાન મંડનમાં હેનું પુષ્કળ ખંડન કરવામાં આવેલું છે. જે માર્ગ માટે જીવણજી મહારાજે કહેલું કે “આધ્યાત વૈ ” અને પુરણ પુરૂષોત્તમ સાથે “ત્રજ્ઞા રે મામા aછે નહિ વ્યવહારની” હેને ત્યાગ કરી દંડી સંન્યાસી થયા એ કેવું અજાયબી ભર્યું છે, અને હાલના મહારાજ તો કોઈ સંન્યાસી થતા નથી. તો સંપ્રદાયમાં સત્ય સિદ્ધાન્ત કા હૈને વિવેક વાચકેજ કરવો. ૨ ગુસાંઈજીના છોકરા ગોકુળનાથજીએ પિતાનો પંથ જુદો ચલાવ્યું છે. તેમાં સેવકને એમ મનાવ્યું છે કે મારા શિવાય કોઈને માનવું નહીં. તે એટલે સુધી કે શ્રી કૃષ્ણ સુદ્ધાંને પણ માનવું નહીં. આ બાબતમાં વૈષ્ણવને એમ હમજાવ્યું છે કે ૧૭
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy