SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિવાચક નામે પૂજે છે તેમને જન્મ સંવત ૧૫૩૫ ના વૈશાખ વદ ૧૧ ને રવિવારે ચંપારણ્યના અરણ્યમાં થયો હતો. પોતાની જ્ઞાતિથી બહિષ્કાર થયેલી સ્થિતિમાં રહેવું શરમ ભરેલું હોવાથી લક્ષ્મણ ભટ્ટ પિતાનો દેશ તજી કાશી નિવાસી બન્યા હતા. એવામાં કાશી તરફ મુસલમાનોને હુમલો આવવાથી લોકોને હાસવાની ફરજ પડી. આ વખતે લક્ષ્મણ ભટ્ટજી તેમજ તેમના સગભાં પત્ની છેલ્લ માગારૂજી પણ પ્રયાણ કરી ગયાં. પિતાને દેશ જઈ શકાય એમ હતું નહીં; એટલે ચેડા નામના ગામ તરફનો રસ્તો લીધે. વાટમાગે ચંપારણ્ય નામનું જંગલ આવે છે. ત્યાં આવી પહોંચતાં અતિ શ્રમથી ભયથી, ચિંતાથી, ખાનપાનાદિની પીડાથી, ઇલ્સમાગારૂછનો ગભસ્ત્રાવી ગયો. ગભ સાત માસને નિજીવ હતો તેથી એક પાંદડાંમાં વીંટાળી ખીજડાના ઝાડ નીચે ખાડો કરી દાટી મૂકો અને ત્યાંથી ચાલતાં થયાં. ચૌડા નગરમાં કેટલોક વખત રહ્યા પછી જાણ્યું કે કાશીમાં સઘળું શાંત થયું છે એટલે ત્યાં જવાં નીકળ્યાં. વળતાં વાટમાં પાછું ચંપારણ્ય આવ્યું. ત્યાં એમનાં પુસ્તકમાં લખ્યા પ્રમાણે પચાસ હાથના અગ્નિકુંડમાં બાળક રમતું દીઠું. તે જોઈ અને પતિ પત્ની દોડી ગયાં. મૂળ પુરૂષમાં લખે છે કે “ર ર દુધા મદા ના કવિ તનપુર પાવર” વળી લખે છે કે “મારા વિશે નાનિ જિનતા” એટલે અગ્નિએ છેલ્લીમાગારૂજીને માતા જાણી માગ આપ્યો. પછી તેણે તે બાળકને આનન્દ સહિત ઉપાડી લીધું કે તે પોતાનું જાણી બહુજ હર્ષ પામ્યાં. પણ આ વાત માનવા ગ્ય ગણી શકાય એમ નથી. એમનું . પિતાનું બાળક અકાળે અરણ્યમાં સ્ત્રની ગયું હતું. તેને દાટીને તો ચેડા નગરને વાટે પડયા હતા. તે હવે આટલે બધે સમયે પાછળથી તે સજીવ બની શી રીતે બહાર નીકળ્યું હશે ? વળી હેને અગ્નિકુંડમાં રમવું શી રીતે ગમ્યું હશે ? અગ્નિના તાપમાં તો બાળક રહી શકવું એ અશક્ય. આ બધી ચમત્કારિક રેન્દ્રભાલિક અસંભવ
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy